BSFમાંથી સસ્પેન્ડ થયેલા જવાન તેજ બહાદૂરની ચૂંટણી અરજી પર પીએમ મોદીને HCની નોટિસ
અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારાણસીથી લોકસભા ચૂંટણીને પડકરાતી એક ચૂંટણી અરજી પર તેમને શુક્રવારે નોટિસ આપી છે.
અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારાણસીથી લોકસભા ચૂંટણીને પડકરાતી એક ચૂંટણી અરજી પર તેમને શુક્રવારે નોટિસ આપી છે. ન્યાયમૂર્તિ એમ કે ગુપ્તાએ આ નોટિસ જારી કરીને આ કેસની આગામી સુનાવણીની તારીખ 21 ઓગસ્ટ નક્કી કરી. આ ચૂંટણી અરજી સીમા સુરક્ષા બળના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદૂર યાદવ દ્વારા દાખલ કરવામાં આવી છે. યાદવને સમાજવાદી પાર્ટીએ વારાણસી લોકસભા સીટથી ઉમેદવાર ઘોષિત કર્યા હતા પરંતુ રિટર્નિંગ અધિકારી દ્વારા તેમનુ નામાંકન પત્ર રદ કરી દેવાના કારણે તે ચૂંટણી લડી શક્યા નહિ.

તમને જણાવી દઈએ કે વારાણસીના જિલ્લા રિટર્નિંગ અધિકારીએ યાદવને એ પ્રમાણપત્ર જમા કરાવવા કહ્યુ હતુ કે તેમને ભ્રષ્ટાચાર કે બેઈમાનીના કારણે તો નથી હટાવવા આવ્યા, પરંતુ આ પ્રમાણપત્ર આપવામાં નિષ્ફળ રહેવા પર 1 મે, 2019ના રોજ તેમનુ નામાંકન રદ કરી દેવામાં આવ્યુ હતુ. તેજ બહાદૂર યાદવે પોતાની ચૂંટણી અરજીમાં આરોપ લગાવ્યો છે કે વારાણસીના રિટર્નિંગ અધિકારી દ્વારા ખોટી રીતે તેમનુ નામાંકન પત્ર રદ કરવામાં આવ્યુ છે જેના પરિણામે તે લોકસભા ચૂંટણી લડી શક્યા નહિ જે તેમનો બંધારણીય અધિકાર છે.
તેમણે અદાલતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારાણસીથી લોકસભા સાંસદને ગેરકાયદેસર ઘોષિત કરવાનો અનુરોધ કર્યો છે. યાજવે દલીલ આપી છે કે મોદીએ પોતાના નામાંકન પત્રમાં પોતાના પરિવાર વિશે વિવરણ આપ્યુ નથી એટલા માટે તેમનુ નામાંકન પત્ર પણ રદ કરવામાં આવવુ જોઈએ જે નથી કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે વારાણસીથી નામાંકન રદ થયા પબાદ તેજબહાદૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જ આરોપ લગાવ્યા હતો અને તેમના સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ કેસમાં યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપીને અરજી આગળ વધારી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે આ કેસની તપાસ કરી અને તેજ બહાદૂરના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને આ આધારે તેમનુ નામાંકન ફગાવી દેવાના નિર્ણયને યોગ્ય માનવામાં આવ્યો.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ










Click it and Unblock the Notifications
