For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્ર

રવિવારે થયેલા અમૃતસર ગ્રેનેડ હુમલાની તપાસથી સામે આવ્યુ છે કે આનુ ષડયંત્ર લાહોરમાં રચવામાં આવ્યુ હતુ જેમાં જર્મની અને કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોની પણ મોટી ભૂમિકા રહી છે.

|
Google Oneindia Gujarati News

રવિવારે થયેલા અમૃતસર ગ્રેનેડ હુમલાની તપાસથી સામે આવ્યુ છે કે આનુ ષડયંત્ર લાહોરમાં રચવામાં આવ્યુ હતુ જેમાં જર્મની અને કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોની પણ મોટી ભૂમિકા રહી છે. તેમણે જ અમૃતસરમાં ગ્રેનેડ હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો. દિલ્લી પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરતે આ વાત જણાવી છે. અધિકારીનું કહેવુ છે કે આ હુમલો પંજાબમાં ફરીથી આતંકવાદના મૂળ જમાવવાની કોશિશ છે પરંતુ તે આમાં સફળ નહિ થઈ શકે.

આ પણ વાંચોઃ Video: આપ MLA સોમનાથ ભારતીએ મહિલા એંકરને ગાળ દઈ કહ્યુ હેસિયત ના ભૂલો આ પણ વાંચોઃ Video: આપ MLA સોમનાથ ભારતીએ મહિલા એંકરને ગાળ દઈ કહ્યુ હેસિયત ના ભૂલો

ગ્રેનેડ હુમલો સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાયલ

ગ્રેનેડ હુમલો સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાયલ

અમુક અધિકારીઓ મુજબ એક સ્થાનિક મોડ્યુલ ઈસ્લામિક નેટવર્ક સાથે હુમલા માટે ઉપયોગ કરવામાં આવ્યુ હતુ અને તેનો હથિયારોની લેવડ-દેવડ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હુમલાની પ્રારંભિક તપાસમાં પણ એ વાત સામે આવી હતી કે જે ગ્રેનેડ આ હુમલામાં ઉપયોગમાં લેવાયા હતા તે પાકિસ્તાની હથિયારની ફેક્ટરીમાં બનતા ગ્રેનેડ જેવા છે, તેના પર પાકિસ્તાની હસ્તાક્ષર મળ્યા છે.

લાહોરમાં રચવામાં આવ્યુ હતુ ષડયંત્ર

લાહોરમાં રચવામાં આવ્યુ હતુ ષડયંત્ર

અમૃતસર ગ્રેનેડ હુમલા બાજ એનએસએ અજિત ડોભાલે જાણકારી લીધી અને એક હાઈ લેવલ મીટિંગ બોલાવવામાં આવી. તપાસના આધારે એ જાણવા મળ્યુ છે કે નિરંકારી ભવન બ્લાસ્ટના તાર સીધેસીધા પાકના આઈએસઆઈ સાથે જોડાયેલા છે. સૂત્રો મુજબ એનએસએ અજિત ડોભાલ સાથે આ મીટિંગમાં હોમ સેક્રેટરી રાજીવ ગૌબા, ડીજીપી સુરેશ અરોડા અને ઘણા મોટા અધિકારી શામેલ હતા. જો કે પહેલા ઈનપુટ હતુ કે જૈશના આતંકી આગામી ચૂંટણી પહેલા દેશમાં કોઈ મોટો હુમલો કરાવી શકે છે.

ખાલિસ્તાની સમર્થકોની મોટી ભૂમિકા

ખાલિસ્તાની સમર્થકોની મોટી ભૂમિકા

સ્થાનિક પોલિસ સાથે તપાસ એજન્સીઓ હુમલા પાછળની કડીઓ જોડવામાં લાગેલી છે અને શંકા છે કે જાકિર મૂસાનો હાથ પણ આમાં હોઈ શકે છે જેણે 2010થી 2013 સુધી મોહાલીમાં અભ્યાસ કર્યો હતો. અમુક અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્ફોટની યોજના ખાલિસ્તાની સમર્થકોની મદદથી બનાવવામાં આવી હતી, જેમણે સ્થાનિક લોકોને હુમલો કરવા અને ફંડ કરવાનું કામ કર્યુ. જ્યારે હુમલા માટે ગ્રેનેડની વ્યવસ્થા મુસા અથવા સીમા પારના જૈશના નેટવર્ક દ્વારા કરવામાં આવી.

આ પણ વાંચોઃ પીએમ મોદી સામે રાહુલના મુકાબલે ચંદ્રાબાબુ નાયડુ પ્રબળ દાવેદાર કેમ છે?આ પણ વાંચોઃ પીએમ મોદી સામે રાહુલના મુકાબલે ચંદ્રાબાબુ નાયડુ પ્રબળ દાવેદાર કેમ છે?

English summary
Amritsar grenade attack was planned in lahore, involvement of pro-Khalistani Sikh diaspora: probe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X