For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

60 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું?

60 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં કહ્યું..

|
Google Oneindia Gujarati News

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે ટ્રેન અકસ્માત સર્જાતાં 61થી વધુ લોકોના જીવ ગયા. રાવણ દહન જોવા ગયેલા લોકોએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે રાવણ દહનની સાથે તેમનું જીવન પણ અંધારમય થઈ જશે. એ સમયે તેજ આતશબાજી થવા લાગી, જેવો રાવણ સળગવાનું શરૂ થયું કે આજુબાજુમાં ધૂમાડો છવાઈ ગયો. દરમિયાન અહીંથી ટ્રેન પસાર થઈ. સવાલ ઉઠે છે કે આખરે લોકોની આટલી ભીડ શું ડ્રાઈવરને નહિ દેખાઈ હોય.

ડ્રાઈવરની ઓળખ જાહેર નથી કરી

ડ્રાઈવરની ઓળખ જાહેર નથી કરી

મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રેનના ડ્રાઈવરે કહ્યું કે રાવણ દહનને કારણે આજુબાજુમાં ભારે ધુમાડો છવાઈ ગયો હતો, જેને કારણે ડ્રાઈવર કંઈપણ જોઈ જ ન શક્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રેનના ડ્રાઈવરની ઓળખને જાહેર કરવામાં આવી નથી, ટ્રેનના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.

આ કારણે થયો અકસ્માત

આ કારણે થયો અકસ્માત

રેલવે વિભાગનું કહેવું છે કે રાવણ દહન જોવા માટે આવેલા લોકોનું પાટા પર એકઠા થવું સ્પષ્ટ રીતે અતિક્રમણ હતું અને રાવણ દહનના કાર્યક્રમ માટે રેલવે દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. અમૃતસર પ્રશાસન પર આ દોષનો ટોપલો નાખતા ઓફિશિયલ્સે કહ્યું કે સ્થાનિય અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં નવજોત સિંહ સુદ્ધુની પત્ની પણ સામેલ હતી.

રેલવે વિભાગે દોષનો પોટલો ઢોળ્યો

રેલવે વિભાગે દોષનો પોટલો ઢોળ્યો

રેલવે અધિકારીઓએ કહ્યું કે, "આ મામલે અમને જાણકારી આપવામાં આવી નહોતી અને અમારા તરફથી કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી. આ અતિક્રમણનો સ્પષ્ટ મામલો છે અને સ્થાનિક પ્રશાસન તેના માટે જવાબદાર છે." બીજી બાજુ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે સ્થાનિય પ્રશાસનના કાર્યક્રમની સૂચના રેલવે વિભાગને નહોતી આપવામાં આવી. એમણે કહ્યું કે જો રેલવેને આ મામલે જાણકારી આપવામાં આવત તો તેમના વિભાગ વતી ગાઈડલાઈન્સ નિશ્ચિત રૂપે જારી કરવામાં આવત. ટ્રેનની સ્પીડ વિશે મનોજ સિન્હાએ કહ્યું કે સ્પીડ નિયંત્રણ ટેર્કની સ્થિતિના આધારે લગાવવામાં આવે છે, ન કે ભીડને જોઈને. કહ્યું કે અત્યાર તેમની પ્રાથમિકતા ઘાયલોને વધુમાં વધુ સારવાર અને બીજી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે.

આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકોઆપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકો

English summary
amritsar train accident pathankot amritsar dmu train driver says he could not see anything due to heavy smoke
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X