પંજાબમાં લાગુ થશે આનંદ મેરેજ એક્ટઃ ગુરુનાનક દેવ જયંતિ પર CM ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યુ કે શીખ સમુદાયમાં લગ્નોને વૈધાનિક માન્યતા આપતો આનંદ મેરેજ એક્ટ ખરા અર્થમાં લાગુ કરવામાં આવશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યુ કે શીખ સમુદાયમાં લગ્નોને વૈધાનિક માન્યતા આપતો આનંદ મેરેજ એક્ટ ખરા અર્થમાં લાગુ કરવામાં આવશે. ગુરુ નાનક દેવની 553મી જન્મજયંતિ નિમિત્તે તખ્ત શ્રી કેસગઢ સાહિબ ખાતે પ્રાર્થના કર્યા બાદ મુખ્યમંત્રી માને આ વાત કહી. તેમણે કહ્યુ કે હરિયાણા, તમિલનાડુ અને દિલ્લી જેવા ઘણા રાજ્યો પહેલેથી જ આનંદ મેરેજ એક્ટ લાગુ કરી ચૂક્યા છે પરંતુ 2016માં આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ હોવા છતાં પંજાબ પાછળ રહી ગયુ છે.

cm mann

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે આ એક્ટ હવે યોગ્ય રીતે લાગુ કરવામાં આવશે. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યુ કે તેમણે રાજ્યમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. પ્રકાશ પર્વના શુભ અવસર પર લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતા સીએમ માને જણાવ્યુ હતુ કે ગુરુ નાનક દેવનો શાશ્વત ઉપદેશ 'કીર્ત કરો, નામ જપો અને વંદ છકો આજે પણ પ્રાસંગિક છે.

તેમણે લોકોને જાતિ, રંગ, સંપ્રદાય અને ધર્મની સંકુચિત ધારણાઓથી ઉપર ઊઠીને અત્યંત ભક્તિ અને સમર્પણ સાથે આ પ્રસંગની ઉજવણી કરવા આહ્વાન કર્યુ હતુ. એવું કહેવાય છે કે ગુરુ નાનક દેવે તેમના ઉપદેશો દ્વારા મુઘલ સમ્રાટ બાબરના આક્રમણ દરમિયાન અત્યાચાર, અન્યાય અને અત્યાચારનો વિરોધ કર્યો હતો. ગુરબાનીના શ્લોક 'પવન ગુરુ, પાણી પિતા, માતા ધરત મહત'નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યુ કે ગુરુજીએ હવાને શિક્ષક, પાણીને પિતા અને જમીનને માતા સાથે સરખાવી હતી. તેમણે કહ્યુ કે, ગુરુજીએ તે સમયે લોકોને પર્યાવરણની જાળવણી કરવાની શીખ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X