For Daily Alerts
નજીબ જંગના બાદ જે દિલ્હી નવા ઉપરાજ્યપાલ બન્યા તેની ખાસ વાતો
અનિલ બૈજલ અટલ બિહાર વાજપાઇની સરકારમાં ગૃહસચિવ રહ્યા હતા અને હવે તે દિલ્હીના નવા ઉપરાજ્યપાલ બન્યા છે. ત્યારે તેમના વિષે ખાસ વાતો જાણો અહીં
નઝીબ જંગના રાજીનામા પછી અનિલ બૈજલને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ બન્યા છે. નોંધનીય છે કે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલનું નામ પહેલા પણ બે વાર રાષ્ટ્રપતિ ભવનમાં મોકલવામાં આવ્યું હતું પણ આજે તેમને મંજૂરી મળી છે.
અજિલ બૈજલ અટલ બિહાર વાજપાઇની સરકારમાં ગૃહ સચિવ બન્યા હતા અને તે પહેલા તે ડીડીઆઇ (દિલ્હી વિકાસ પ્રાધિકરણ)માં પણ રહી ચૂક્યા છે. વળી તે વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં એક્ઝિક્યૂટિવ કાઉન્સીલમાં પણ કામ કરી ચૂક્યા છે.
અનિલ બૈઝલને રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભલના નજીકના વ્યક્તિઓ માનવામાં આવે છે. વળી તેમનું નામ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ બનવા વખતે પણ ચર્ચામાં રહ્યું હતું. બૈજલ 1968માં આઇએએસ બન્યા હતા અને તે 2009માં શહેરી વિકાસ સચિવ તરીકે સેવાનિવૃત થયા હતા.
English summary
Former Union Home Secretary Anil Baijal has been appointed as the new Lieutenant Governor of Delhi. He replaces Najeeb Jung who stepped down recently.
Story first published: Wednesday, December 28, 2016, 18:40 [IST]