For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને મળ્યો અનિલ કુંબલે, પરંતુ શું થઇ વાતચીત?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

anil-kumble-narendra-modi
નવી દિલ્હી, (વિવેક શુક્લા): વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ મુલાકાત કરી. મુલાકાત વડાપ્રધાન કાર્યાલયમાં થઇ. કહેવામાં આ એક શિષ્ટાચાર મુલાકાત ગણાવવામાં આવે છે, પરંતુ તેના મૂળમાં બીજી કોઇ વસ્તુ ગણવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી વ્યસ્તતાના લીધે કારણ વિના કોઇને મળતા નથી. એટલા માટે એમ માનવામાં આવે છે કે આ શિષ્ટાચાર મુલાકાત હશે. બંને વચ્ચે કોઇ ખાસ મુદ્દે પર વાતચીત થઇ હશે.

નરેન્દ્ર મોદી-અનિલ કુંબલેની મુલાકાતને એટલા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કે કારણ કે નરેન્દ્ર મોદી ક્રિકેટ પ્રેમના લીધે અને કુંબલેને રાજકારણના લીધે ઓળખવામાં આવતા નથી.

જો કે અનિલ કુંબલે કર્ણાટક ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યાં છે. તેનાથી વધુ તેમનો રાજકીય સંબંધ રહ્યો નથી. નરેન્દ્ર મોદીનો તો ક્રિકેટ જ નહી પરંતુ કોઇપણ અન્ય રમત સાથે સીધો સંબંધ રહ્યો નથી. એ તો રાજકારણના ખેલાડી છે. જો કે તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડકપ ફૂટબોલ ચેમ્પયનશિપ પહેલાં તેમણે વર્લ્ડ કપ પર એક પોસ્ટલ ટિકીટ જાહેર કરી હતી.

English summary
The surprise meeting between Prime Minister Modi and former test cricketer star raises eyebrows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X