વીડિયો: શંકર ભગવાનના મંદિરમાં થાય છે વાંદરાઓની દારુ પાર્ટી
ભગવાન શંકરના મંદિરમાં દૂધ, ગંગાજળ, ભાંગ ચડાવતા તો તમે જોયા હશે. પરંતુ ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં એક એવું મંદિર છે જ્યાં શંકર ભગવાનની દારુ ચડાવવામાં આવે છે. ચડાવેલી દારુ પ્રસાદના ભાગ રૂપે ત્યાના વાંદરાઓને પીવડાવવામાં આવે છે. ચોકાવનારી વાત તો એ છે કે ત્યાંના વાંદરાઓ ખુબ જ ખુશીથી ગ્લાસમાં દારુ પીવે છે.
સીતાપુર જીલ્લાથી ખાલી 70 કિલોમીટર દુર અટવા કુર્સાદ ગામ છે. ત્યાં એક શિવમંદિર છે. આ મંદિર ચારેબાજુ થી ખુલ્લું છે. આ મંદિરમાં કોઈ દરવાજો કે બારી નથી. આ મંદિર ગામથી દુર જંગલમાં છે એટલે ત્યાં કોઈ પુજારી પણ નથી. અહી આવવાવાળા ભક્તો લાંબી ગાડીઓમાં આવે છે અને દારુ ચડાવે છે ભક્તોનું કહેવું છે કે અહી દારુ ચડાવ્યા બાદ ભગવાન તેમની ઈચ્છા પૂરી ચોક્કસ કરે છે.
અહી આવવાવાળા ભક્તો દારુને પાણીમાં મિક્ક્ષ કરે છે અને પછી તેને શિવલિંગ પર ચડાવે છે. ત્યારબાદ ભક્ત જ તે દારુને ગ્લાસમાં લઈને ચબુતરા પર મૂકી દે છે. આ દારુ વાંદરાઓ પીવે છે અને કેટલીકવાર વાંદરાઓને દારુ સાથે ચખના માં ચણા ખાતા પણ જોઈ શકાઈ છે.
મંદિર નો ઈતિહાસ
આ મંદિર હરદોઇ જીલ્લાના ગામ અઠવા કુર્સાદ નિવાસી રાજેશ કુમાર સિંહે 1992 માં બનાવ્યું હતું.
ખબીસ બાબાનું મંદિર
ખબીસ બાબા એ ભેરવ બાબાનું જ રૂપ માનવામાં આવે છે. લોકોનું કેહવું છે કે અહી દારુ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય છે.
બહુ જૂની માન્યતા
ત્યાંના લોકોના કેહવા મુજબ દારુ ચડાવવાની માન્યતા બહુ જૂની છે. આ મંદિરમાં ઘણા દેવી દેવતાની મૂર્તિઓ છે જેના દર્શન માટે લોકો દુર દુર થી આવે છે.
વાંદરાઓનું લિવર થઇ ગયું છે ખરાબ
જંગલના સંરક્ષણનો લોકો મુજબ દારુ પીવાથી વાંદરાઓનું લિવર ખરાબ થઇ ગયું છે અને તેમને આ મંદિર બંદ કરવાની માંગ કરી છે.
ઉજ્જેનમાં પણ આવું જ એક મંદિર
મધ્ય પ્રદેશના ઉજ્જેનમાં પણ કાલ ભેરવના મંદિર પર દારુ ચડાવવાની માન્યતા છે.