ઝારખંડમાં વધુ એક બુરાડી ઘટના, પરિવારના 6 લોકોની આત્મહત્યા
દિલ્હીના બુરાડીમાં જયારે એક જ પરિવારના 11 લોકોની લાશ મળી આવી ત્યારે બધા જ ચોંકી ગયા હતા. હવે બિલકુલ આવો જ મામલો ઝારખંડમાં હજારીબાગમાં જોવા માંડ્યો છે.
દિલ્હીના બુરાડીમાં જયારે એક જ પરિવારના 11 લોકોની લાશ મળી આવી ત્યારે બધા જ ચોંકી ગયા હતા. હવે બિલકુલ આવો જ મામલો ઝારખંડમાં હજારીબાગમાં જોવા માંડ્યો છે. જ્યાં પરિવારના 6 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. અહીં દેવામાં ડૂબેલા પરિવારના 6 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પરિવારના 5 લોકોએ ફાંસી લગાવી દીધી જયારે એક વ્યક્તિએ ઘરના ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના સામે આવ્યા પછી પોલીસ આ મામલે જાંચ કરી રહી છે.
આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારપછી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગયી હતી. ઝારખંડમાં જે પરિવારના 5 લોકોએ ફાંસી લગાવી. તેમની પાસે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આસપાસના લોકોએ જણાવ્યું કે તે એક મારવાડી પરિવાર હતો અને તેમની ફળોની દુકાન હતી. આખો પરિવાર બિઝનેસમાં નુકશાન વેઠી રહ્યો હતો જેને કારણે તેમને આત્મહત્યા કરી લીધી.