દમણ ગેંગરેપ કેસમાં 7 યુવાનોને અપાયા શરતી જામીન
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.
આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
દમણ ગેંગરેપ કેસમાં 7 યુવાનોને અપાયા શરતી જામીન
દમણ સામહિક બળાત્કાર કેસમાં મહત્વનો ખુલાસો થયો છે આ ઘટનામાં 7 વિદ્યાર્થીઓને પોલીસ શરતી જામીન આપ્યા છે તો 4 વિદ્યાર્થીઓની ચાલી રહેલી તપાસ વચ્ચે પીડીત યુવતીનું કોર્ટમાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ હાથધરવામાં આવી છે. નોંધનીય છે કે દમણના મેડીકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની પર આણંદની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં 11 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક બળાત્કારની ફરિયાદ દમણ પોલીસ મથકમાં કરી હતી.
કેવડિયા ખાતે અસ્થિર મગજની મહિલાએ ટાવર પર ચઢી મચાવ્યો હંગામો
કેવડિયામાં આવેલા બીએસએનએલના 300ફૂટ ઊંચા ટાવર પર એક અસ્થિર મગજની મહિલા ચઢી હતી. અને તેના કારણે તંત્ર દોડતું થઈ ગયુ હતું અને અપાર મહેનતે મહિલાને નીચે ઉતારવામાં આવી હતી. આ ઘટનાને પગલે કેવડિયા પોલીસ, રાજપીપળા નગરપાલિકા, નર્મદા નિગમ, જે.પી કંપની સહિતના સ્થાનિક યુવાનોએ આશરે ત્રણ કલાક ભારે જહેમતથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડયું હતું અને મહિલાને જેકેટ પહેરાવી, મોબાઈલ ક્રેનની મદદથી નીચે હેમખેમ નીચે ઉતારી 108ની મદદથી સારવાર માટે મોકલી આપવામાં આવી હતી.
અદિવાસી સ્ત્રીઓ શિક્ષિત કરનાર પદ્મભૂષણ પૂર્ણિમા પકવાસાનું નિધન
આદિવાસી કન્યાઓમાં શિક્ષણનો વ્યાપ કરવા માટે વર્ષોથી ભેખધારીને કામ કરનારા પૂર્ણિમા પકવાસાનું અવસાન થયું હતું. તેઓ ડાંગમાં ઋતુભંરા કન્યા વિદ્યાલયના ચેરપર્સન હતા. પદ્મભૂષણ અને ગાંધીવાદી પૂર્ણિમાબેન પકવાસાનું ગાંધીજીના આદેશ બાદ સમગ્ર જીવન આદિવાસી કન્યાઓના વિકાસમાં પોતાનું સમર્પિત કર્યુ હતુ. પૂર્ણિમાબહેનના અવસાનને પગલે ગુજરાતમાં પ્રખર ગાંધીવાદી તથા સશક્ત મહિલા શિક્ષણવિદની ખોટ પડી હતી અને તમામ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વ્યારામાં બાઇક ડિવાઇર સાથે અથડાઇ, 2ના મોત, 1 ઇજાગ્રસ્ત
દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા વ્યારા પાસે બાજીપુરા નજીક બાઇક ડિવાઇડર સાથે જોશથી અથડાઈ હતી તેના કારણે બાઇક ઉપર સવાર ત્રણ યુવાનો પૈકી બે મિત્રોના મોત થયાં હતાં. જ્યારે એકને સાધારણ ઇજા થઇ હતી. ત્રણેય મિત્રોમાંથી બે મિત્રો પેટ્રોલ પંપ ઉપર નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અક્સમાત સર્જાયો હતો. એક ઇજાગ્રસ્ત ધર્મેશ ગામિતને સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મેઘરજમાં બિનવારસી દારૂ ભરેલી ટ્રકમાંથી લોકોએ ચલાવી દારૂની લૂંટ
મેઘરજ તાલુકાના પીશાલ ગામના ખેતરમાં બિનવારસી ટ્રક પાર્કમાંથી વિદેશી દારૂનો મોટો જત્થો મળી આવ્યો હતો. દારૂની ટ્રકની બાતમી મળતા જીલ્લા એલસીબી પોસઇ પી.એસ. પરમારને મળતાં મેઘરજ પોલીસને જાણ કરાઇ હતી. ખેતરમાં પાર્ક કરાયેલી ટ્રક નંબર. પી.બી. 12 એન 2653નો કબ્જો લઇને પોલીસે દારૂ સહિત 57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ગામની સીમમાંથી દારૂ ભરેલી ટ્રક બીનવારસી હાલતમાં જોતાં જ ગામના લોકોએ દારૂની લૂંટ મચાવી હતી.
મોરબીના લાલપરની લેમિનેટની ફેક્ટરીમાં ભીષણ આગ
મોરબીના લાલપર ગામ નજીક આવેલી લેમિનેટની ફેક્ટરીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. મોરબીના લાલપર ગામે ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ ઉપર કાબૂ મેળવવા તાબડતોબ ફાયરની 6 ટીમ બોલાવવી પડી હતી. આગ એટલી ભીષણ હતી કે મોરબીની બે અને વાંકાનેરની 1 તેમજ રાજકોટની ત્રણ એમ કુલ છ ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો .ફેક્ટરીમાં લાગેલી આગમાં એક મજૂર દાઝી ગયો હતો જેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં 150 લોકો આવ્યા ફૂડ પોઇઝનિંગની ઝપેટમાં, તંત્ર દોડતું થયું
બનાસકાંઠામાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક બનાવ ભાભરના બોડાળીયામાં જ્યારે બીજો બનાવ ડીસાની જુની ભીલડી ગામે બન્યો છે. જેમાં 150 જણાને સારવાર આપવામાં આવી હતી. ફૂડ પોઇઝનિંગની અસર એટલી વધારે હતી કે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ મોકલીને ઘરમાં જ દર્દીઓને સારવાર આપવી પડી હતી. પહેલા70 જણાને ત્યાર બાદ અન્ય વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા આરોગ્ય વિભાગની ત્રણ ટીમ દોડી આવી હતી.
ધોરાજીમાં યુવકનો અગમ્ય કારણોસર આપઘાત, કોહવાઇ લાશ
રાજકોટની નજીક આવેલા ધોરાજીમાં બસ સ્ટેન્ડ વિસ્તારની પાછળના મકાનમાં રહેતા પુરૂષે આપઘાત કરી લીધો હતો. જોકે આ બાબતની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે લાશ ફૂલીને કહોવાઈ ગયેલી પરિસ્થિતિમાં હતી. બંધ મકાનમાંથી મળેલી લાશ પરથી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે આ યોગેશભાઇ પાચાભાઈ પટેલ નામના આ પુરૂષે ત્રણેક દિવસ પહેલા આત્મહત્યા કરી હોવાની શક્યતા છે.