સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું પથ્થર નહીં હથિયાર ચલાવો!
સેના પ્રમુખ બિપિન રાવતે આવ્યા મેજર ગોગોઇના બચાવમાં. તેમણે આપ્યું મોટું નિવેદન. વિગતવાર જાણો અહીં.
કાશ્મીરમાં ભારતીય સેના પર થઇ રહેલા પથરાવ અને કાશ્મીરી યુવકને જીપથી બાંધવાની ઘટના મામલે સેના પ્રમુખ બિપિન રાવતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો પર પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા હોય તે સમયે જવાનોને રાહ જોવાનું કહેવું કે મરવા માટે છોડી ના દેવાય. તેમણે કહ્યું કે પથ્થરબાજોને જવાબ આપવો જરૂરી છે.
સેના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા ડર્ટી વોરને લડવા માટે નવી રીત અપનાવવી જરૂરી છે. સાથે જ મેજર લીતુલ ગોગોઇને તે નિર્ણયનું પણ સમર્થન કર્યું જેમાં તેમણે પથ્થરબાજી વખતે કાશ્મીરી યુવકનો મામલ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો.
આર્મી ચીફ જણાવ્યું કે મેજર ગોગોઇએ જે સમયે પગલું લીધુ હતું તે સમયે હજારોની સંખ્યામાં પથ્થરબાજો અમે ઘેરી ચૂક્યા હતા. તેમણે કહ્યું કે મેજર ગોગોઇનું સન્માન એટલા માટે કરવામાં આવ્યું કે તેમણે વિપરિત સમયમાં સેના મનોબળ વધારવાની સાથે નવી રીત અપનાવી નિરાકરણ નીકાળ્યું હતું. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે કાશ! પથ્થરની જગ્યાએ પ્રદર્શનકારી હથિયારો સાથે ફાયરિંગ કર્યું હોત તો અમે પણ તેમને વાસ્તવમાં આ અંગેનો જવાબ આપી શક્યા હોત.