કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, આતંકી મસૂજ અઝહરના ભત્રીજાને ઠાર માર્યો
કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, આતંકી મસૂજ અઝહરનો ભત્રીજો ઠાર
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં સેનાના હાથે મોટી સફળતા લાગી છે. સેનાએ સ્નાઈપર વિરુદ્ધ કાર્યવાહી કરતા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ પુલવામાના ત્રાલમાં જૈશ-એ-મોહમ્મદના 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાને ગુપ્ત જાણકારી મળ્યા બાદ ત્રાલના મંડૂરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે બાદ આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ અથડામણમાં સેનાએ બે આતંકવાદીને ઠાર માર્યા છે મોટી માત્રામાં ગોળા બારુત જપ્ત કર્યો છે.
આજ સુધીના રિપોર્ટ મુજબ સેનાની આ કાર્યવાહીમાં મૃત્યુ પામનાર સ્નાઈપર જૈશ-એ-મોહમ્મદના મુખ્યા આતકી મૌલાના મસૂદ અઝહરનો ભત્રીજો છે. જાણકારી મુજબ કેટલાય કલાકો સુધી ચાલેલ અથડામણ બાદ સેનાએ આતંકવાદીઓના કેટલાય ઠેકાણાને તહસ-નહસ કરી દીધા. જ્યાંથી સેનાને એમફોર સ્નાઈપર રાઈફલ મળી. સેનાએ લોકોને મુઠભેડ વાળી જગ્યાએથી દૂર રહેવાની સલાહ આપી છે. જૈશના સ્નાઈપરોએ ચોરીછૂપે કરેલ હુમલામાં ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. ત્યારથી સેના સતત જવાબી કાર્યવહી કરી રહી છે.
આ પણ વાંચો- માલેગાંવ બ્લાસ્ટઃ કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 પર આરોપ નક્કી