આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે PM મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના, કહ્યુ - ભારત માતાની સેવા માટે દીર્ઘાયુ મળે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ પર ફેમસ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પોતાના એક શાનદાર આર્ટ દ્વારા પીએમને શુભકામના આપી છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ પર ફેમસ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પોતાના એક શાનદાર આર્ટ દ્વારા પીએમને શુભકામના આપી છે. ઓરિસ્સાના પુરીમાં સમુદ્ર કિનારે તેમણે રેતીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક તસવીર બનાવી છે જે તેમણે ટ્વિટર પર શેર કરી છે. આ ફોટો શેર કરીને સુદર્શન પટનાયકે લખ્યુ છે, 'માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તમને જન્મદિવસની શુભકામનાઓ. ભારત માતાની સેવા માટે મહાપ્રભુ જગન્નાથ તમને લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન પ્રદાન કરે.'
સોશિયલ મીડિયા પર છવાયો સુદર્શન પટનાયકનો ફોટો
તમને જણાવી દઈએ કે સુદર્શન પટનાયકે પીએમ મોદીનો જે ફોટો બનાવ્યો છે તેમાં તેમણે 2035 સીપિયોનો પણ ઉપયોગ કર્યો છે. આની માહિતી તેમણે પોતાની પોસ્ટમાં આપી છે. તમને જણાવી દઈએ કે સુદર્શન પટનાયક ઘણી વાર ખાસ પ્રસંગોએ આ રીતની આર્ટ રજૂ કરે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલો પીએમ મોદીનો ફોટો સોશિયલ મીડિયા પર ધડાધડ શેર કરવામાં આવી રહ્યો છે. અમુક કલાકોમાં જ આ ફોટાને 5 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ કમેન્ટ કરીને સુદર્શન પટનાયકની કલાકારીની પ્રશંસા કરી રહ્યા છે.
દેશભરમાં પીએમની લાંબી ઉંમર માટે માંગવામાં આવી રહી છે દુઆઓ
તમને જણાવી દઈએ કે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધીએ પણ જન્મદિવસની શુભકામનાઓ આપી છે. રાજકીય ઉપરાંત રમતગમત અને મનોરંજન જગતની પણ ઘણી મોટી હસ્તીઓએ પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. આ ઉપરાંત આખા દેશમાં પીએમ મોદીની લાંબી ઉંમર માટે ભાજપ કાર્યકર્તાઓ, નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના પણ કરી રહ્યા છે.
પીએમ મોદીને રાષ્ટ્રપતિનો સંદેશ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના શુભકામના સંદેશમાં કહ્યુ છે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. મારી શુભેચ્છા છે કે તમે સ્વસ્થ રહો અને દીઘાર્યુ પ્રાપ્ત કરી 'અહર્નિશ સેવામહે' પોતાની સર્વવિદિત ભાવના સાથે રાષ્ટ્ર સેવાનુ કાર્ય કરતા રહો.'