સિખ રમખાણો મામલે સુપ્રીમના ફેસલા બાદ જેટલી બોલ્યા- કોંગ્રેસના બીજા દોષી બનશે સીએમ
દોષિતોને સીએમ બનાવી રહી છે કોંગ્રેસઃ અરુણ જેટલી
નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને 1984ના સિખ વિરોધી રમખાણોમાં દોષિત કરાર આપવામાં આવ્યા અને ઉંમરકેદની સજા સંભળાવ્યાના ફેસલાનું અરૂણ જેટલીએ સ્વાગત કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે જે લોકોએ 1984નાં એ રમખાણો જોયાં, તેઓ જાણે છે કે આ કેવા પ્રકારનો નરસંહાર હતો. લગભગ આવો નરસંહાર લોકોએ ક્યારેય નહિં જોયો હોય.
કોંગ્રેસના દામન પર લાગ્યો 1984નો દાગ
જેટલીએ કહ્યું કે કોંગ્રેસે આ રમખાણો પર અને તેની સાથે જોડાયેલ મામલાઓ પર લગાતાર લીપાપોતીની કોશિશમાં રહ્યા, તેઓ વારંવાર તેને કવર કરવામાં લાગ્યા રહ્યા. જેટલીએ કહ્યું કે આ રમખાણો સાથે જોડાયેલ કેસમાં અમે આગળ પણ ન્યાય માટે લડાઈ શરૂ રાખીશું. નાણામંત્રીએ કહ્યું કે 1984માં થયેલ રમખાણોનો દાગ ક્યારેય કોંગ્રેસ અને ગાંધી પરિવારના દામનથી હટી શકે તેમ નથી.
કોંગ્રેસે આવી કોશિશ કરી
જેટલીએ કહ્યું કે કોંગ્રેસે સિખ રમખાણ સાથે જોડાયેલ મામલાને વારંવાર કવરઅપ કરવાની કોશિશ કરવામાં આલાગી રહ્યા. જેટલીએ કહ્યું કે આ રમખાણો સાથે જોડાયેલ કેસોમાં અમે ન્યાય માટે આગળ પણ લડાઈ શરૂ રાખીશું. નાણામંત્રીએ કહ્યું કે 1984માં થયેલ રમખાણોનો દાગ ક્યારેય પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના દામન પરથી નહિં હટે.
કોંગ્રેસ એક બીજા આરોપીને મુખ્યમંત્રી બનાવી રહી છેઃ જેટલી
અરુણ જેટલીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધતા કહ્યું કે એક બાજુ સિખ રમખાણોમાં સજ્જન કુમારને સજા થઈ છે પરંતુ મુશ્કેલી એ છે કે સિખ સમાજ જે બીજા નેજાને દોષી માને છે તેને કોંગ્રેસ મુખ્યમંત્રીના શપથ લેવડાવી રહી છે.
સજ્જન કુમારને આજીવન કેદની સજા
1984માં દિલ્હીાં થયેલ સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ એક મામલામાં દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષી કરાર આપતા આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સીબીઆઈ, પીડિતો અને દોષિતો તરફથી દાખલ અપીલ પર સુનાવણી બાદ અદાલતે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. 1984ના આ મામલામાં લગભગ 34 વર્ષ બાદ આ ફેસલો આવ્યો છે.
1984ના સિખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને ઉંમર કેદ