વિપક્ષના આરોપો પર બોલ્યા જેટલી, આગલા 6 મહિના સુધી RBI પાસેથી ફંડ લેવાની જરૂર નથી
આગલા 6 મહિના સુધી RBI પાસેથી ફંડ લેવાની જરૂર નથી: જેટલી
નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીનું કહેવું છે કે ભારતે આગામી 6 મહિના સુધી કેન્દ્રીય બેંક પાસેથી રૂપિયા લેવાની જરૂરત ની. અરુણ જેટલીએ વિપક્ષી પાર્ટીઓના આરોપોને ફગાવી દીધા જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર 2019 લોકસભા ચૂંટણી પહેલા વિવિધ યોજનાઓને ફંડ આપવા માટે આરબીઆઈ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.
એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટર્વ્યૂમાં જેટલીએ કહ્યું કે સરકારને આગલા 6 મહિના સુધી પૈસાની જરૂરત નહિ પડે. વિપક્ષી દળ આરોપ લગાવી રહ્યો છે કે આરબીઆઈના અધિકારીઓ ઘટાડવાની સરકાર કોશિશ કરી રહી છે. તેને ફગાવતા જેટલીએ કહ્યું કે સરકારે આરબીઆઈના અધિકારીઓનું સન્માન કર્યું છે.
જેટલીએ કહ્યું કે અમે આરબીઆઈની સ્વાયત્તતાનું પુરું સન્માન કરીએ છીએ પરંતુ જો કોઈ ક્ષેત્રમાં ક્રેડિટનો ઘટાડો જોવા મળે તે તે ક્ષેત્રોસ સાથે તેવું જ કરશું જેવું અમે આરબીઆઈ સાથે કરીએ છીએ, અમે આ મુદ્દાને ઉઠાવશું. જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો- મેરી કોમે રચ્યો ઈતિહાસ, છઠ્ઠો ગોલ્ડ જીતીને બની વિશ્વની સૌથી સફળ મુક્કેબાજ