For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરી માનહાનિ કેસમાં કેજરીવાલને હાઇકોર્ટથી ઝાટકો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી નથી. કોર્ટે જામીન અરજીની સુનવણી કરતા સમયે જામીન બોન્ડ ભરવાનો જ આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે ભાજપના નેતા નીતિન ગડકરી સામે માનહાનિના કેસમાં તેઓ તિહાર જેલમાં બંધ છે.

કેજરીવાલને એ સમયે જેલ મોકલવામાં આવ્યા હતા, જ્યારે તેમણે પોતાની વિરુદ્ધ નોંધાયેલા માનહાનિ કેસમાં બેલ બોન્ડની રકમ ભરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમને કાયદાની ખોટી વ્યાખ્યા કરીને ખોટી રીતે ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

arvind-slap

આ અરજી તેમના વકીલ પ્રશાંત ભૂષણે ન્યાયાધિશ બી ડી અહેમદ અને એસ મૃદુલની પીઠ સમક્ષ નોંધાવી હતી. પીઠે જણાવ્યું કે આ અરજી પર આગલી સુનવણી આવતા મંગળવારે કરવામાં આવશે. આ અરજીમાં મેજિસ્ટ્રેટ અદાલતના 21 મે અને 23 મેના નિર્ણયોની પડકારવામાં આવ્યા હતા, જેમાં કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અમ કરવું જરૂરી નથી. તેમને લેખિતમાં સોગંદનામુ આપવાની અનુમતિ આપવી જોઇતી હતી. કેજરીવાલની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો આ કેસ ભાજપના નેતા નીતિન ગડકરીએ નોંધાવ્યો હતો.

English summary
Arvind Kejriwal gets one more shock from High Court on Defamation Case. Court says to Kejriwal that first fill the bond then talk about the system.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X