નરેન્દ્ર મોદી સાથે નહીં ટકરાય કેજરીવાલ!

નવી દિલ્હી, 29 ડિસેમ્બરઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર પોતાના સહયોગીઓનું દબાણ છે કે તે લોકસભા ચૂંટણી 2014 દરમિયાન ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ગુજરાતના મામલાઓને લઇને તેઓ ઘણા ગંભીર છે, પરંતુ તેઓ મોદી વિરુદ્ધ મેદાનમાં ઉતરતા અચકાઇ રહ્યાં છે. ગુજરાતમાં આપ પાર્ટીની યોજના 26 ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની યોજના છે. મોદી વિરુદ્ધ કેજરીવાલની ચૂંટણી લડવાની વાત પર પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે, હાં, પાર્ટીની અંદર એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે, કેજરીવાલે મોદીને પડકાર આપવો જોઇએ.

arvind-kejriwal-narendra-modi
આમ આદમી પાર્ટીની રણનીતિ હેઠળ કુમારને વિશ્વાસ કોંગ્રેસ ઉપાધ્યક્ષ વિરુદ્ધ અમેઠીથી ઉતારી શકે છે. તેથી કુમાર વિશ્વાસને એ પ્રમાણે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ સાથે જ એક અન્ય વરિષ્ઠ નેતાને તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે, જે મોદી વિરુદ્ધ લડી શકે. લાલ બહાદૂર શાસ્ત્રીના પ્રપૌત્ર આદર્શ શાસ્ત્રી આજે શનિવારે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. બની શકે છે કે તેમને મોદી વિરુદ્ધ પ્રોજેક્ટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમણે અંજલિ દમાનિયાને પૂર્વ ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં નાગપુરથી લડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

આ અંગે જ્યારે યોગેન્દ્ર યાદવ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, કેજરીવાલ હાલ મુખ્યમંત્રી તરીકે દિલ્હી પર ફોકસ કરી કરશે. લોકસભા ચૂંટણી તેઓ નહીં લડે. યાદવે કહ્યું કે, કેજરીવાલ મોદી વિરુદ્ધ ચૂંટણી લડે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. આ અટકળો પાર્ટી બહારના લોકો લગાવી રહ્યાં છે, અંદરના નહીં. સમય બતાવશે કે આગામી રણનીતિ ગુજરાતમાં થશે કે ગુજરાતની બહાર. કેજરીવાલના સહયોગી દબાણ લાવી રહ્યાં છે કે, તે મોદી અને રાહુલ ગાંધીની એક સરખુ અંતર ના બનાવે, કારણ કે તેઓ જાણે છે કે મોદીની લડાઇ રાહુલ ગાંધી સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X