For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે કર્યા અક્ષરવાસી પ્રમુખસ્વામીના દર્શન...

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના સાળંગપુર ખાતે અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

જાણો કોણે કોણે પ્રમુખ સ્વામી માટે સોશ્યિલ મીડિયા પર શુ કહ્યું

વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા અરવિંદ કેજરીવાલ થોડીવાર અમદાવાદ રોકાયા હતા. જ્યાં તેમણે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓને મળીને વાતચીત કરી. નોંધનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ખાતું ખોલવા માટે દ્રઢ પણે કટીબદ્ધ છે.

arvind kejriwal

જે બાદ તે સીધા સાળંગપુર જવા નીકળી ગયા હતા. જ્યાં તેમણે અંતર્ધાન થયેલા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હતા અને જણાવ્યું હતું કે આવી અલૌકિક વિભૂતિ પૃથ્વી પર સૈકાઓ બાદ આવતી હોય છે સ્વામી બાપાએ સમગ્ર જીવન લોકો માટે કામ કર્યુ છે અને તેમનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકાય.

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ સિવાય અન્ય જાણીતી હસ્તીઓ જેમ કે અમિતાભ બચ્ચન પણ આજે બાપાના દર્શન કરવા આવશે તેવી શક્યતા છે.

English summary
Arvind kejriwal pay tribute to Pramukh Swami Maharaj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X