આર્યન ખાન ડ્રગનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે-NCB
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈ ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈ ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીનનો વિરોધ કર્યો છે. NCB એ તેના જવાબમાં કહ્યું કે ભલે તેની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં ન આવ્યુ હોય પણ આર્યન સહિત તમામ આરોપીઓ આ કાવતરામાં સામેલ છે.

આર્યન ખાન પર આરોપ છે કે તેનો ઉપયોગ કોન્ટ્રેબેન્ડની ખરીદી માટે કરવામાં આવ્યો હતો. મર્ચન્ટ પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે. NCB એ કહ્યું કે વિદેશમાં થયેલા વ્યવહારોને લગતી તપાસ કરવી જરૂરી છે અને તપાસ ચાલી રહી છે.
વિશેષ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) કોર્ટ આર્યન ખાન અને અન્યની જામીન અરજી પર બપોર બાદ ફરી સુનાવણી શરૂ કરશે. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સી સિંહ કોર્ટમાં હાજર રહે તેવી શક્યતા છે.
NCB એ મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ફિલ્મ નિર્માતા અને બાંદ્રા સ્થિત બિલ્ડર ઈમ્તિયાઝ ખત્રીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે તેને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. મંગળવારે NCB દ્વારા ઇમ્તિયાઝ ખત્રીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેને છોડી દેવામાં આવ્યા હતા. હવે તેને ફરીથી એજન્સી સમક્ષ હાજર થવું પડશે, કારણ કે તેનું વિગતવાર નિવેદન નોંધવાનું બાકી છે.
એનસીબીએ એમ પણ કહ્યું હતું કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ક્રૂઝ શિપમાં ડ્રગ્સનું સેવન કર્યું હતું. તે ભારતમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, 1985 હેઠળ ગુનો છે. NCB એ આર્યન ખાન પર ગેરકાયદેસર ડ્રગ્સ વેચવાનો અને રાખવાનો આરોપ પણ લગાવ્યો છે.
2 ઓક્ટોબરના રોજ મુંબઈ કિનારે કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર પાર્ટીમાં દરોડા પાડવામાં આવ્યા બાદ ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં બે નાઇજિરિયન નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
