For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાર્પશૂટરે કહ્યું આસારામના સાક્ષીઓને માર્યા પછી બાપુએ સાધ્વી આપી ભેટ

By Desk
|
Google Oneindia Gujarati News

સગીર બાળકી સાથે રેપના કેસમાં જેલની હવા ખાતા આસારામ બાપુની મુશ્કેલીઓ ફરી એક વાર વધવાની શક્યતા છે. પોલિસના કહેવા મુજબ આસારામ બાપુના સાક્ષીઓને મોતને ઘાટ ઉતારનાર શાર્પશૂટરને પકડી પાડવામાં પોલિસને મોટી સફળતા મળી છે. અને આ શાર્પશૂટરે પોતાની જાતને આસારામનો ફિદાયીન બતાવ્યો છે. આસારામના કહેવાતા ભક્ત તેવા આ શાર્પશૂટરને સાક્ષીઓની હત્યા કર્યા બાદ તેને આસારામે તેની મનપસંદ સાધ્વીની પસંદગી કરવાનો મોકો પણ આપ્યો છે.

પાછલા કેટલાક સમયથી જમાનત માટે તરસતા આસારામ બાપુને જ્યાં જમાનત નથી મળી રહી ત્યાં પોલિસે જે શાર્પશૂટરને પકડ્યો છે તે આસારામ બાપુને જોધપુરમાં મળવા પણ ગયો હતો તેવી બાતમી પોલિસે આપી છે. ત્યારે કોણ છે આ શાર્પશૂટર જે પોતાને આસારામનો ફિદાયીન કહે છે. અને કેવી રીતે પોતાની મનગમતી સાધ્વીના મેળવવા માટે તેને સગીર સાથે બળાત્કારના કેસ ફસાયેલા આસારામ બાપુના તમામ મહત્વના સાક્ષીઓનો સફાયો કરો તે વિષે જાણો આ સનસનીખેજ આર્ટીકલમાં....

છત્તીસગઢથી પકડાયો શાર્પશૂટર

છત્તીસગઢથી પકડાયો શાર્પશૂટર

પોતાને આસારામનો ફિદાયીન કહેનાર અને સગીર રેપ કેસના તમામ મહત્વના સાક્ષીઓની હત્યા કરનાર કાર્તિક નામના આ શાર્પશૂટરને એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડ્યો છે. પોલિસનું માનીએ તો કાર્તિક ખૂબ જ ખતરનાક છે.

કાર્તિકે કર્યા આસારામ અંગે અનેક ખુલાસા

કાર્તિકે કર્યા આસારામ અંગે અનેક ખુલાસા

પોલિસે જણાવ્યું કે કાર્તિકે આસારામને લઇને અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે. કાર્તિકના કહેવા મુજબ તેણે જ્યારે આ કેસના તમામ સાક્ષીઓને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે આસારામ ખુબ જ ખુશ થયા હતા.

રાજૂ ચાંડકની મોત

રાજૂ ચાંડકની મોત

સગીર બળાત્કાર કેસના મુખ્ય સાક્ષી જેણે કબલ્યું હતું કે તેણે આસારામને સગીરા સાથે જોયા હતા તેવા રાજૂ ચાંડક જે આસારામ બાપુના ખુબ જ નજીકના વ્યક્તિ મનાતા હતા તેને જ્યારે કાર્તિકે મારી નાખ્યો ત્યારે આ ખબર સાંભળીને આસારામ ખુબ જ ખુશ થયા હતા.

જ્યારે આસારામે કાર્તિકને પૂછ્યું

જ્યારે આસારામે કાર્તિકને પૂછ્યું

એટલું જ નહીં રાજૂ પર હુમલો કર્યા પછી તે આસારામને મળવા પણ ગયો હતો અને કાર્તિકે આસારામ સામે તે વાત કબૂલી પણ હતી કે તેણે જ આ તમામ ખૂન કર્યા છે. ત્યારે આસારામે તેને પુછ્યું હતું તારે શું જોઇએ છે?

ખૂનના બદલામાં સાધ્વી ભેટ

ખૂનના બદલામાં સાધ્વી ભેટ

ત્યારે કાર્તિકે કહ્યું કે તે લગ્ન કરવા ઇચ્છે છે અને તેને આસારામની એક સાધ્વી ગમે છે. જે બાદ તે સાધ્વી સાથે કાર્તિકના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

કાર્તિકનો દાવો આને માર્યા છે

કાર્તિકનો દાવો આને માર્યા છે

કાર્તિકે દાવો કર્યો કે તેને મનગમતી પત્ની મળ્યા પછી તેને આસારામ કેસના તમામ સાક્ષીઓને મારવાનો પ્લાન બનાવ્યો. પોલિસ તપાસમાં તેણે માન્યું કે રાજકોટના અમૃત પ્રજાપતિ, અખિલ ગુપ્તા, કૃપાલ સિંહ જેવા તમામ સાક્ષીઓની મોત તેણે પોતે જ કરી છે.

આસારામને મળ્યો પણ હતો

આસારામને મળ્યો પણ હતો

પોલિસે જણાવ્યું કે કાર્તિક એક વાર જોધપુર જેલમાં આસારામને મળવા પણ ગયો હતો. ત્યારે કાર્તિકના આ ખુલાસા બાદ શું કોર્ટમાં આ તમામ અપરાધો માટે આસારામને જવાબદાર ઠેરવી શકાશે કે કેમ? તે જોવાનું રહ્યું.

બાપ પછી બેટાની કરતૂત વાંચો અહીં

બાપ પછી બેટાની કરતૂત વાંચો અહીં

નારાયણ, સંતના વેષમાં બેઠલો શેતાન છે: નારાયણ સાંઇની પત્નીનો ખુલાસો

English summary
In more trouble for Asaram Bapu, Kartik Haldar, who is suspected to have shot dead three key witnesses in rape cases filed against the religious leader, has told the police that the murders were committed on Asaram's behest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X