Pic: કયા દિગ્ગજો જોડાયા આપમાં, મેધા પાટકર અને આશુતોષ જોડાશે
નવી દિલ્હી, 9 જાન્યુઆરી: અણ્ણા હઝારેના સાથે છોડી સમાજસેવી મેધા પાટકર હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. આઇબીએન 7ના એડિટર આશુતોષે પણ પોતાના પદેથી રાજીનામું આપી દિધું છે. તેમણે એબીપી ન્યુઝ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દિધું છે. એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.
કહેવામાં આવે છે કે પાર્ટી મેધા પાટકરના સંપર્કમાં છે. મોટા-મોટા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવવાની હોડ લાગી ગઇ છે. ગઇકાલે મશહૂર નૃત્યાંગના મલિક્કા સારાભાઇ આપમાં જોડાઇ ગયા છે. તેમણે જણાવી દઇએ કે ઇન્ફોસિસમાંથી રાજીનામું આપીને કોર્પોરેટ જગતમાં હાહાકાર મચાવનાર વી બાલકૃષ્ણન પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.
દેશના બીજા નંબરના સૌથી મોટી સોફ્ટવેર સેવા કંપની એકાએક છોડ્યા બાદ ત્રણ અઠવાડિયમાં બાલકૃષ્ણને કહ્યું હતું કે 'હું આપનો સભ્ય બનવા જઇ રહ્યો છું. મને વેરિફિકેશન પ્રાપ્ત થઇ ગયું છે.
તેમણે કહ્યું હતું કે 'આપે દેશના રાજકારણમાં ક્રાંતિ લાવી છે, હું તેના પ્રભાવિત છું.' 20 ડિસેમ્બરના રોજ કંપનીના બોર્ડ અને સેવાએ બાલકૃષ્ણએ કંપની છોડી દિધી હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ઇન્ફોસિસે કહ્યું હતું કે રાજીનામું 31 ડિસેમ્બર 2013થી પ્રભાવિત છે.
મેધાપાટકર
અણ્ણા હઝારેના સાથે છોડી સમાજસેવી મેધા પાટકર હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. કહેવામાં આવે છે કે પાર્ટી મેધા પાટકરના સંપર્કમાં છે.
આશુતોષ
આઇબીએન 7ના એડિટર આશુતોષે એબીપી ન્યુઝ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દિધું છે. એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.
મલ્લિકા સારાભાઇ
મોટા-મોટા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવવાની હોડ લાગી ગઇ છે. ગઇકાલે મશહૂર નૃત્યાંગના મલિક્કા સારાભાઇ આપમાં જોડાઇ ગયા છે.
બાલકૃષ્ણન
ઇન્ફોસિસમાંથી રાજીનામું આપીને કોર્પોરેટ જગતમાં હાહાકાર મચાવનાર વી બાલકૃષ્ણન પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. દેશના બીજા નંબરના સૌથી મોટી સોફ્ટવેર સેવા કંપની એકાએક છોડ્યા બાદ ત્રણ અઠવાડિયમાં બાલકૃષ્ણને કહ્યું હતું કે 'હું આપનો સભ્ય બનવા જઇ રહ્યો છું. મને વેરિફિકેશન પ્રાપ્ત થઇ ગયું છે.
આદર્શ શાસ્ત્રી
કોંગ્રેસની યુવા નેતા અલકા લાંબા બાદ હવે કોંગ્રેસ નેતા અનિલ શાસ્ત્રીના પુત્ર અને દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી 'આપ' સાથે જોડાઇ ગયા છે.
રેમો ફર્નાડિસ
ભારતના જાણીતા ગાયક સિંગર રેમો ફર્નાડિસ હવે આપનો પ્રચાર કરશે. તેમને પોતાના ફેસબુક પેજ માધ્યમથી આ જાહેરાત કરી છે. મને ફેસબુક પર લખ્યું છે કે મારા માટે ગઇકાલે ઐતિહાસિક દિવસ હતો. પોતાના જીવનમાં પહેલી વાર હું રાજકીય પાર્ટીમાં જોડાયો છું, કારણ કે મારા જીવનમાં મેં પહેલી વાર રાજકીય પક્ષ પર વિશ્વાસ કર્યો છે અને તે આમ આદમી પાર્ટી છે.