એર ઇન્ડિયાને હજુ સુધી કોઈ ખરીદદાર મળ્યો નથી: આરએન ચૌબે
એર ઇન્ડિયાની ખરાબ હાલતને સુધારવા માટે ભારત સરકારે તેના વિનિવેશ કરવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ હજુ સુધી સરકારને તેની યોગ્ય કિંમત નથી મળી રહી.
એર ઇન્ડિયાની ખરાબ હાલતને સુધારવા માટે ભારત સરકારે તેના વિનિવેશ કરવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ હજુ સુધી સરકારને તેની યોગ્ય કિંમત નથી મળી રહી. ભારત સરકારે એર ઇન્ડિયા માટે બોલી લગાવવા માટે છેલ્લી તારીખ વધારીને 31 મેં કરી હતી. પરંતુ હજુ સુધી સરકારને એર ઇન્ડિયામાં રોકાણ કરવા માટે કોઈ ઓફર મળી નથી. આવી હાલતમાં આખરે સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ બોલી લગાવવા માટે તારીખ હજુ આગળ નહીં વધારે.
સોમવારે એવિએશન સેકેટરી આરએન ચૌબે ઘ્વારા જણાવવામાં આવ્યું કે એર ઇન્ડિયાને હજુ સુધી કોઈ ખરીદદાર મળ્યો નથી. પરંતુ હજુ સુધી ડેડ લાઈન આગળ વધારવા માટે કોઈ પણ વિચાર કરવામાં આવ્યો નથી. આપણે જણાવી દઈએ કે એર ઇન્ડિયામાં હિસ્સો ખરીદવામાં ઈન્ડિગો એરલાઈને રસ દાખવ્યો હતો પરંતુ પાછળથી તેને પણ પોતાના હાથ ખેંચી લીધા.
આ પહેલા વિમાન સચિવ આરએન ચૌબે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એર ઇન્ડિયા માટે યોગ્ય કિંમત નહીં મળે તો સરકાર કદાચ તેને નહીં વેચે. સરકાર પાસે અધિકાર છે કે તેઓ એર ઇન્ડિયા વેચે કે નહીં વેચે.
એર એશિયા લાંચ મામલે ઉડયન મંત્રાલય સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી એર એશિયા જાંચમાં કોઈ સીબીઆઈ વિવરણ મળ્યું નથી. મંત્રાલય તેની અલગ થી જાંચ નહીં કરે.