For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બારામુલા એનકાઉન્ટરઃ જમ્મુ કાશ્મીરમાં સેનાએ 5 આતંકી ઠાર માર્યા

ઉત્તર કાશ્મીરના બારામુલા વિસ્તારમાં સુરક્ષબળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં વધુ એક આતંકી માર્યો ગયો છે. આ એનકાઉન્ટરમાં હવે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર કાશ્મીરના બારામુલા વિસ્તારમાં સુરક્ષબળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં વધુ એક આતંકી માર્યો ગયો છે. આ એનકાઉન્ટરમાં હવે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે. બુધવારે આ એનકાઉન્ટર બારામુલાના રાફિયાબાદમાં થયુ હતુ. રાફિયાબાદમાં સેનાને 5 આતંકવાદીઓ હાજર હોવાની બાતમી મળી હતી. તમને જણાવી દઈએ કે મંગળવારે જમ્મુ કાશ્મીરના બાંદીપોર હેઠળ આવતા ગુરેજ સેક્ટરમાં આઠ આતંકવાદીઓએ ઘૂસણખોરીની કોશિશો કરી હતી. સેના તરફથી આનો જવાબ આપવામાં આવ્યો પરંતુ આમાં મેજર રેંકના એક અધિકારી સહિત ચાર સૈનિકો શહીદ થઈ ગયા હતા. આ એનકાઉન્ટરમા ચાર આતંકી માર્યા ગયા હતા તો ચાર આતંકી ભાગવામાં સફળ થયા હતા.

baramulla

સેનાના પેરા કમાન્ડો પણ શામેલ રહ્યા ઓપરેશનમાં

સેનાની 32 રાષ્ટ્રીય રાઈફલ્સ અને નવ પૈરા કમાન્ડોઝે સોપોર પોલિસ સાથે મળીને રાફિયાબાદના વિસ્તારોમાં ત્રણ દિવસ પહેલા એક સર્ચ ઓપરેશન લોન્ચ કર્યુ હતુ. આ ઓપરેશનને પૂરતા ઈન્ટેલીજન્સ બાદ શરૂ કરવામાં આવ્યુ હતુ જેમાં આતંકીઓના જંગલમાં છૂપાયા હોવાની જાણકારી મળી હતી. આતંકવાદીઓના એક ગ્રુપને બુધવારે આ વિસ્તારમાં જોવામાં આવ્યુ અને ત્યારબાદ સુરક્ષાબળો તરફથી આતંકવાદીઓને પડકારવામાં આવ્યા છે.

એનકાઉન્ટરમાં એક પેરા કમાન્ડો ઘાયલ થયા છે અને તેમને તરત જ એરલિફ્ટ કરકીને શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ પાંચેય આતંકવાદી ઉરી સેક્ટરના રસ્તે આવ્યા હતા. સોપોરના એસપી જાવેદ ઈકબાલ તરફથી જાણકારી આપવામાં આવી છે કે પોલિસને આ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓની જાણકારી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

English summary
Baramulla encounter: Another terrorist was later gunned down by security forces total of 5 terrorists killed in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X