For Quick Alerts
For Daily Alerts
મોદીને ભાગવતની સલાહઃ બધાને સાથે રાખીને ચાલો
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભાગવત સાથેની મુલાકાત બાદ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવી નથી. સંઘના નેતાઓ સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. તેઓ સમયાંતરે સંઘના વડામથકે આશિર્વાદ લેવા માટે આવે છે અને આવતા રહેશે.
તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રાજકીય મામલાઓમાં સંઘનો કોઇ હસ્તક્ષેપ હોતો નથી અને તેઓ અહીં રાજકીય વાતો કરવા માટે આવ્યા નહોતા. પરંતુ સૂત્રોએ વહેતી કરેલી માહિતી અનુસાર આ ત્રણ કલાકની બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથો-સાથ રાજકીય મુદ્દે સારી એવી ચર્ચા કરવામાં આવી હોવાનુ ફલિત થાય છે.
Comments
rss chief mohan bhagwat narendra modi gujarat chief minister politics sanjay joshi આરએસએસ ચીફ મોહન ભાગવત નરેન્દ્ર મોદી ગુજરાત મુખ્યમંત્રી રાજકારણ સંજય જોષી
English summary
RSS chief Mohan Bhagwat advised Gujarat CM Narendra Modi to take everyone along in gujarat, sources said.