GSTના વિરોધમાં 26 ફેબ્રુઆરીએ ભારત બંધ, બધા બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનુ CAITનુ એલાન
Bharat Bandh On 26th February 2021: 26 જાન્યુઆરીએ જીએસટીના વિરોધમાં સમગ્ર ભારતમાં બજારો બંધ રહેશે. વેપારી સંગઠન સીએઆઈટીએ ગુરુવારે જણાવ્યુ કે વસ્તુ તેમજ સેવા કર(જીએસટી) વ્યવસ્થાની જોગવાઈની સમીક્ષાની માંગ હેઠળ દેશભરના બધા વાણિજ્યિક બજાર 26 ફેબ્રુઆરીએ બંધ રહેશે. કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)એ કહ્યુ કે કેન્દ્ર(રાજ્ય) અને જીએસટી પરિષદે જીએસટીની વિધિવત જોગવાઈને યથાવત રાખવાની માંગ કરીને 1500 જગ્યાઓએ દેશભરમાં ધરણા(વિરોધ પ્રદર્શન) કરવામાં આવશે. CAITએ જીએસટી પ્રણાસીની સમીક્ષા અને વેપારીઓ દ્વારા સરળ અનુપાલન માટે તેને સરળ અને તર્કસંગત બનાવવા માટે તેના ટેક્સ સ્લેબની પણ માંગ કરી.
એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યુ કે આ મુદ્દે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન(AITWA)પણ CAITના ભારત બંધનુ સમર્થન કરશે અને 26 ફેબ્રુઆરીએ ચક્કાજામ આયોજિત કરશે. ખંડેલવાલે કહ્યુ કે દેશભરમાં બધા વાણિજ્યિક બજારો બંધ રહેશે અને બધા રાજ્યોના વિવિધ શહેરોમાં ધરણા પ્રદર્શન આયોજિત કરવામાં આવશે.
ખંડેલવાલે વધુમાં ઉમેર્યુ કે સીએઆઈટી સાથે સાથે દેશભરમાં 40,000થી વધુ વેપારીઓના સંગઠન બંધનુ સમર્થન કરશે. તેમણે જોયુ કે સ્વૈચ્છિક અનુપાલ એક સફળ જીએસટી શાસનની કુંજી છે કારણકે વધુ લોકોને અપ્રત્યક્ષ કર પ્રણાલીમાં શામેલ થવા, કર આધાર વધારવા અને મહેસૂલ વધારવા માટે પ્રોત્સાહિત કરશે. ખંડેલવાલે કહ્યુ કે છેલ્લા ચાર વર્ષોમાં જીએસટી નિયમોમાં અત્યાર સુધી લગભગ 950 સુધારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે જીએસટી પોર્ટલમાં સતત ટેકનિકલ ગરબડ અને અનુપાલન દબાણ આ સિસ્ટની ખામીઓમાં શામેલ છે.
ફરીથી વધ્યા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ, 25 રૂપિયા મોંઘુ થયુ