મોદી સરકારનો નિર્ણયઃ 10 એજન્સીઓને મળ્યો તમારા કમ્પ્યુટરની જાસૂસી કરવાનો અધિકાર
કેન્દ્ર સરકારે દેશભરમાં ઉપયોગમાં લેવાઈ રહેલા તમામ કમ્પ્યુટરની જાણકારી અંગે મોટો આદેશ જાહેર કર્યો છે.
કેન્દ્ર સરકારે દેશભરમાં ઉપયોગમાં લેવાઈ રહેલા તમામ કમ્પ્યુટરની જાણકારી અંગે મોટો આદેશ જાહેર કર્યો છે. સરકારના આ આદેશ બાદ હવે તમારા કમ્પ્યુટરની જાણકારી મેળવી શકાશે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલયની 10 કેન્દ્રીય એજન્સીઓને દેશભરમાં ચાલી રહેલા કમ્પ્યુટરની જાસૂસી કરવાની પરવાનગી આપી દીધી છે. સરકારના આ આદેશ બાદ કોઈ પણ કમ્પ્યુટરથી જનરેટ, રીસિવ, સેવ અને ટ્રાન્સમિટ કરાયેલ દસ્તાવેજને જોઈ શકાશે. સરકારના આ આદેશ બાદ વિપક્ષી દળોએ આની આકરી ટીકા કરી છે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર આઈબી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ઈડી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટેરિએટ, ડાયરેક્ટરેટ ઓફ સિગ્નલ ઈન્ટેલીજન્સ અને દિલ્લીના કમિશ્નર ઓફ પોલિસને આ અંગેની પરવાનગી આપવામાં આવી છે કે તે લોકોના કમ્પ્યુટરની જાસૂસી કરી શકે છે અને કમ્પ્યુટરની જાણકારી મેળવી શકે છે. સરકારના આ નિર્ણય બાદ હવે દેશભરમાં કોઈના પણ કમ્પ્યુટરની અંદર સરકારી એજન્સીઓ જાસૂસી કરી શકે છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલીમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર પોતાના આ નિર્ણયથી પોતાના એ વચનને નિભાવી રહી છે જેમાં તેમણે ઘર-ઘર મોદી કહ્યુ હતુ. સરકારના આ નિર્ણયન ઓવેસીએ ઈમરજન્સી સાથે તુલના કરતા કહ્યુ કે 1984માં તમારુ સ્વાગત છે. તેમણે કહ્યુ કે સરકારે માત્ર એક સામાન્ય સરકારી આદેશ દ્વારા જાસૂસીનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ પહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાન