પાક નિષ્ફળ થવાના કિસ્સામાં ખેડૂતોને મોટી રાહત, CM માને કહ્યું, સાચા લોકોને મળી રહી છે મદદ
સમગ્ર પંજાબ વરસાદના કારણે પાકોને થયેલા નુકસાન વેઠી રહ્યા છે. ખેડૂતોને પંજાબ સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે.
રાજ્ય સરકારે પહેલા દિન 40 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સતત વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અને ઘરોને નુકસાન માટે પણ વળતર આપવાની શરૂઆત કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક સભાને સંબોધન કર્યું હતું.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આનાથી વધુ ખુશીનો દિવસ ન હોય શકે. કારણ કે, હું કુદરતના પ્રકોપથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા આવ્યો છું. અમારી સરકાર સંકટની આ ઘડીમાં અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, વરસાદ પછી, તેમણે જમીન પરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સીએમએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે ખેડૂતોને થયેલું મોટું નુકસાન જોઈને તેમનું હૃદય દુઃખી છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, આ પછી તરત જ રાજ્ય સરકારે લોકોને થયેલા નુકસાનની જાણકારી મેળવવા માટે મોટા પાયા પર ખાસ ગિરદાવરી કરવાનો આદેશ આપ્યો છે.
પંજાબમાં પાક નિષ્ફળતાથી પીડિત ખેડૂતોને મોટી રાહત આપતા મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, વાસ્તવિક લાભાર્થીને મદદ મળી રહી છે.