મહાબોધિ બ્લાસ્ટ અને મિડ ડે મીલ ઘટના પાછળ વિપક્ષનું કાવતરું: નીતિશ
પટણા, 23 જુલાઇ : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચુપ્પી તોડતા જણાવ્યું છે કે મિડ ડે મીલ કરુણાંતિકામાં સડયંત્ર ઘડવામાં આવ્યું હતું. નીતિશે આરોપ લગાવ્યો કે આ ઘટનામાં રાજનૈતિક લાભ ઉઠાવવા માટે ભાજપા અને આરજેડીમાં ગુપ્તપણે સહકાર હતો.
જનતા દળ(યૂ)ના પ્રવક્તા રાજીવ રંજને નીતિશના હવાલાથી જણાવ્યું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ સારન જિલ્લાની એક સ્કૂલમાં થયેલી આ ઘટનાની પાછળ કાવતરાની અમારી શંકાની ખરાઇ કરી દીધી છે.
મુખ્યમંત્રીએ ભાજપા અને આરજેડી પર મીલીભગતનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યુ કે બોધગયામાં આતંકી હુમલો અને છપરામાં થયેલા મિડ ડે મીલ કરુણાંતિકા બાદ સમજીવિચારીને કરવામાં કાવતરૂં સ્પષ્ટપણે દેખાઇ શકે છે. બંને દળોએ આ ઘટના બાદ બંધ પાળવાની જાહેરાત કરી હતી. આ બંધથી બંને દળોની વચ્ચે ગુપ્ત સહમતિની જાણ થાય છે.
નીતિશે આરોપ લગાવ્યો છે કે ભાજપા સત્તાથી બહાર થયા બાદથી પરેશાન છે અને તે અમારી સરકારને અસ્થિર કરવાના પ્રયાસમાં લાગી છે. તેઓ મારા ધીરજની પરીક્ષા લઇ રહ્યા છે. પરંતુ હું મારા માર્ગથી ભટકવાનો નથી, બિહારની જનતાએ વિકાસ માટે અમારી પસંદગી કરી છે અને આ લક્ષ્યને લઇને આગળ વધતા રહીશું.