અવિશ્વાસ પહેલા ભાજપને મોટો ઝટકો, બીજેડીનું વૉકઆઉટ
સંસદમાં આજે થઈ રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભારતીય જનતા પક્ષને મોટો ઝટકો મળ્યો છે.
સંસદમાં આજે થઈ રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભારતીય જનતા પક્ષને મોટો ઝટકો મળ્યો છે. લોકસભામાંથી બીજુ જનતા દળના સાંસદોએ વૉકઆઉટ કરી દીધુ છે. માનવામાં આવી રહ્યુ હતુ કે બીજુ જનતા દળ ભાજપને અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજપને સમર્થન આપશે પરંતુ જે રીતે બીજુ જનતા દળના સાંસદોએ સંસદમાંથી વૉકઆઉટ કર્યુ છે તેનાથી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. આ પહેલા શિવસેનાએ પણ ભાજપને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો. વળી લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યુ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે 6 વાગે મતદાન થશે.
એક તરફ જ્યાં બીજેડીએ સંસદમાંથી વૉકઆઉટ કર્યુ છે તો બીજી તરફ શિવસેનાએ પણ સરકારનો સાથ નહિ દેવાનો નિર્ણય લીધો છે. જો કે આ બધા વચ્ચે મોદી સરકાર પર કોઈ સંકટ નથી. સરકારે દાવો કર્યો છે કે તેમની પાસે પૂર્ણ બહુમત છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતે સંસદ જતા પહેલા વિક્ટ્રીનો સિંબોલ બતાવ્યો હતો. જે બાદ માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ પોતાની પાસે બહુમત અંગે સંપૂર્ણપણે કોન્ફીડન્સમાં છે.
Biju Janata Dal (BJD) walks out of the Lok Sabha ahead of #NoConfidenceMotion pic.twitter.com/0fKHuRZGju
— ANI (@ANI) July 20, 2018
તમને
જણાવી
દઈએ
કે
બીજેડી
પાસે
લોકસભામાં
કુલ
19
સાંસદ
છે.
બીજેડીના
સંસદમાં
વૉકઆઉટ
કરવાથી
ભાજપને
મોટો
ઝટકો
લાગ્યો
છે.
આ
પહેલા
સંસદની
કાર્યવાહી
શરૂ
કરવા
પર
કોંગ્રેસ
નેતા
મલ્લિકાર્જૂન
ખડગેએ
બોલવાનો
સમય
માંગ્યો
હતો.
સંસદની
કાર્યવાહી
શરૂ
થતા
પહેલા
પ્રધાનમંત્રી
નરેન્દ્ર
મોદીએ
કહ્યુ
હતુ
કે
સંસદીય
લોકતંત્ર
માટે
આજનો
દિવસ
ખાસ
છે,
મને
પૂરો
ભરોસો
છે
કે
મારા
સાથી
સાંસદ
આ
પ્રસંગે
મજબૂતી
સાથે
ઉભા
રહેશે
અને
સંરચનાત્મક
ચર્ચામાં
ભાગ
લેશે.
અમે
આના
માટે
દેશની
જનતા
અને
બંધારણ
નિર્માતાઓનો
આભાર
માનીએ
છીએ,
આજે
ભારત
આપણને
ખૂબ
નજીકથી
જોશે.