BJPએ મોદીની ડિગ્રીના પુરાવા રજૂ કરી કહ્યું માફી માંગે કેજરીવાલ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને નાણાં પ્રધાન અરુણ જેટલીએ સોમવારે દિલ્હી ખાતે એક પ્રેસકોન્ફર્ન્સ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ડિગ્રીઓના વિવાદ પર સ્પષ્ટીકરણ આપતા તેમની બન્ને ડિગ્રીઓને આજે સાર્વજનિક કરી હતી. જે દરમિયાન ભાજપે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીથી બીએ અને ગુજરાત યુનિવર્સિટીથી એમએની ડિગ્રી કરી છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા આપના નેતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીએની ડિગ્રીને બનાવટી કહી હતી. જે બાદ આપ અને કોંગ્રેસ બન્નેએ આ મામલે વિવાદ ઊભો કર્યો હતો. અને માંગણી કરી હતી કે મોદી તેમની ડિગ્રી અને તેમની સાથે ભણતા 10 લોકોના નામ જણાવે. જે મામલે ભાજપે હવે ચુપ્પી તોડી છે. બન્નેએ આ પ્રેસકોન્ફર્ન્સમાં મોદીની ડિગ્રીને રજૂ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલને તેમની ભૂલ માટે દેશ સામે માફી માંગવાનું કહ્યું છે. જો કે આ મામલે આમ આદમીના પ્રવક્તા આશીષ ખેતાનનું કહેવું છે કે મોદીની આ ડિગ્રીઓ બનાવટી છે. ત્યારે શું આ સમગ્ર મામલો તે વિષે વધુ જાણો અહીં....
દુખ સાથે જણાવું છું કે
આજે પ્રેસ કોન્ફર્ન્સની શરૂઆતમાં શાહ અને જેટલીએ કહ્યું કે બહુ દુખ સાથે અમે આ પ્રેસકોન્ફર્ન્સ આયોજીત કરી રહ્યા છીએ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બન્ને ડિગ્રીઓને તમારી સામે મૂકી રહ્યા છે.
કેજરીવાલ દેશને ભ્રમિત કરે છે.
વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનની ડિગ્રી મામલે કહ્યું કે કેજરીવાલ દેશને ભમ્રિત કરી રહ્યા છે. અને દેશનું નામ દુનિયા સામે ખરાબ કરી રહ્યા છે. સાથે જ તેમણે સવાલ કર્યો કે ક્યા આધાર પર કેજરીવાલ મીડિયા અને દેશના લોકોની સાથે આવે જુઠ્ઠું બોલીને ભમ્રિત સંદેશો આપી રહ્યા છે?
કેજરીવાલને મોકલી છે કોપી
તેમણે કહ્યું કે મોદીએ 1978માં એબીવીપીના કાર્યાલયમાં રોકાઇને તેમની બીએની પરીક્ષા આપી છે. અને આ ડિગ્રીની એક કોપી અમે કેજરીવાલને પણ મોકલાવી છે. વધુમાં ભાજપે આ અંગે દેશના લોકોની સામે કેજરીવાલને માફી માંગવાનું પણ કહ્યું છે.
શું છે મુદ્દો
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા કેજરીવાર મોદીને 12 પાસ કહીને તેમની બન્ને ડિગ્રીને બનાવટી કહી હતી. અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી નામનો કોઇ રાજસ્થાનના વ્યક્તિનું આ ડિગ્રી છે. અને મોદીના નામ પર દિલ્હીની કોઇ પણ શિક્ષણ સંસ્થાએ ડિગ્રી જાહેર નથી કરી.
"કુમાર"ના નામનો વિવાદ
નોંધનીય છે કે બીએની પરીક્ષામાં મોદીનું નામ નરેન્દ્ર કુમાર લખવામાં આવ્યું છે જ્યારે ગુજરાત યુનિવર્સીટીમાં ખાલી નરેન્દ્ર. જે અંગે આપનું કહેવું છે કે શું મોદીએ તેમનું નામ બદલ્યું છે જો હા તો નામની એફિડેવિટ ક્યાં?
વર્ષ, Modyના પણ પ્રશ્નો
વળી આપનો આરોપ છે કે માર્કશીટમાં 1977માં તેમને બીએ પાસ કરેલું લખવામાં આવ્યું છે જ્યારે તેમને ડિગ્રી 1978માં મળી છે. વળી ક્યાં Modi ને બીજે Mody જેવી જોડણીની ભૂલો પણ છે તેવો દાવો આપે કર્યો છે.
હાથે કર્યા હૈયે વાગ્યા
નોંધનીય છે કે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીએ સત્તા સંભાળી ત્યારે ભાજપે તેના અનેક મંત્રીઓની ખોટી ડિગ્રી મામલે વિવાદ ઊભો કર્યો હતો. અને આજ કારણે કેજરીવાલને તેના ખાસ લોકોને જે તે પોસ્ટથી ખસેડવા પડ્યા હતા. ત્યારે આ નકલી ડિગ્રીનો મુદ્દો હવે આપે પણ ભાજપ પણ નાંખી વિવાદના મધપુડાને છંછેડ્યો છે.