For Quick Alerts
For Daily Alerts
નકામા છે ભારતના પ્રધાનમંત્રી : યશવંત સિન્હા
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન યશવંત સિન્હાએ જણાવ્યું કે મોટી સમસ્યા એ છે કે અમારી સરકાર નબળી છે અને કોઇ નક્કર પગલા ભરી શકતી નથી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ખુબ જ નબળી છે અને આ સરકારના શાસનકાળમાં બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે.
તેમણે જણાવ્યું કે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન યશવંત સિન્હાએ જણાવ્યું કે મનમોહન ભારતના પ્રધાનંત્રી છે, તેમણે ચીનની સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઇએ. આ પહેલી વખત નથી કે યશંવતસિન્હાએ મનમોહનસિંહ પર પ્રહાર કર્યો છે. આ પહેલા પણ 2જી મામલે યશવંતે પીએમ પર પ્રહાર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સૈનિકો દ્વારા ભારતીય સરહદમાં ઘુસણખોરી કરીને અત્રે ચોકીઓ બનાવી હતી. જોકે ભારત સરકાર દ્વારા કોઇ કડક પગલા ભરવામાં નહીં આવતા ચીન દ્વારા આવા પ્રકારની ઘુસણખોરી પહેલા પણ થતી રહી છે.
Comments
English summary
BJP leader Yashvant sinha fire on PM over china issue.
Story first published: Tuesday, April 23, 2013, 15:51 [IST]