For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ એમપી અને એમએલએનું એલાન, ઔરંગઝેબના હત્યારા આતંકીને મારનારાને 21 લાખનું ઈનામ

જમ્મુ કાશ્મીરમાં જાંબાઝ જવાન ઔરંગઝેબના આતંકવાદીઓએ જે રીતે પહેલા અપહરણ કર્યુ અને પછી નિર્દયતાથી તેની હત્યા કરી દીધી તેના કારણે લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં જાંબાઝ જવાન ઔરંગઝેબના આતંકવાદીઓએ જે રીતે પહેલા અપહરણ કર્યુ અને પછી નિર્દયતાથી તેની હત્યા કરી દીધી તેના કારણે લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઔરંગઝેબના પૈતૃક ગામમાં લોકોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે. ત્યાંના ભાજપ સાંસદ અને અકાલી દળના ધારાસભ્યએ તે આતંકીને મારનારાને ઈનામ આપવાની ઘોષણા કરી છે. જેણે કાયરની જેમ જવાનને ગોળીઓથી વીંધી દીધો હતો.

‘36 કલાકમાં મારીને તેમના પુત્રની મોતનો બદલો લો'

‘36 કલાકમાં મારીને તેમના પુત્રની મોતનો બદલો લો'

સાંસદ પરવેશ સિંહ સાહિબે ગુસ્સો દર્શાવતા પોતાના અને ધારાસભ્ય મનજિન્દર સિરસાની નોટ શેર કરી છે. તેમા લખ્યુ છે કે પાક આતંકીઓએ કાયરોની જેમ હરકત કરીને જાંબાઝ સૈનિકનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી. દેશ ક્યાં સુધી સહન કરશે. અમે શહીદ ઔરંગઝેબના પિતા અને ભાઈની લાગણીઓની કદર કરીએ છીએ જેમણે સેનાને કહ્યુ છે કે આતંકીઓને 36 કલાકમાં મારીને તેમના પુત્રની મોતનો બદલો લો. તેમણે એ પણ કહ્યુ કે જો સેના આતંકીઓને નહિ મારે તો તે પોતે પોતાની મોતનો બદલો લેશે. ઔરંગઝેબના હત્યારાને મારનારાને 21 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આતંકીઓ દ્વારા જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ

આતંકીઓએ જવા ઔરંગઝેબનો એક વીડિયો જારી કર્યો હતો જેને જોઈને સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે ઔરંગઝેબના જીવ લેતા પહેલા તેને ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યો. આતંકીઓ દ્વારા જવાનનું અપહરણ અને હત્યા બાદ દેશભરમાં લોકોએ વિરોધ કર્યો હતો. વળી શહીદ થયા બાદ શનિવારે જ્યારે ઔરંગઝેબનો પાર્થિવ દેહ પુંછમાં સ્થિત તેમના પૈતૃક ગામમાં પહોંચ્યો તો તેમને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.

શહીદ ઔરંગઝેબના ભાઈએ પણ કરી બદલો લેવાની વાત

શહીદ ઔરંગઝેબના ભાઈએ પણ કરી બદલો લેવાની વાત

તમને જણાવી દઈએ કે ભારતીય સેનાની 23 મી રાષ્ટ્રીય રાઈફલ્મમાં ઔરંગઝેબ તૈનાત હતા અને તે હિઝબુલ કમાન્ડર સમીર ટાઈગરનું એનકાઉન્ટર કરનારી ટીમમાં પણ શામેલ હતા. શહાદત બાદ ઔરંગઝેબના ભાઈએ પ્રધાનમંત્રીને અપીલ કરતા કહ્યુ હતુ કે અમારા ભાઈના બદલે અમને સો આતંકી જોઈએ. જો ના આપી શકો તો કહી દો, અમે જાતે લઈ લઈશુ.

English summary
bjp mp announced reward of 21 lakh for those who kill aurangzeb murderer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X