Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BJP સાંસદ રૂપા ગાંગુલી રાજ્યસભામાં રડી પડ્યા, કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ

કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે 7 એપ્રિલ સુધીમાં આ મામલાની રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. રાજ્યસભામાં ભાજપના પશ્ચિમ બંગાળના સાંસદ રૂપા ગાંગુલીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

નવી દિલ્હી, 25 માર્ચ : કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે 7 એપ્રિલ સુધીમાં આ મામલાની રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. રાજ્યસભામાં ભાજપના પશ્ચિમ બંગાળના સાંસદ રૂપા ગાંગુલીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

Rupa Ganguly

રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા રૂપા ગાંગુલી ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી. રૂપા ગાંગુલીએ કહ્યું કે, અમે માગ કરીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. અહીં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે, લોકો તેમના ઘર છોડીને ભાગવા માટે મજબૂર છે.

રૂપા ગાંગુલીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં 8 લોકોને સળગાવી દેવામાં આવ્યા, લોકોને પોલીસ પર વિશ્વાસ નથી. બે દિવસ પહેલા ઓટોપ્સી રિપોર્ટ આવ્યો હતો, જેમાં આ લોકોના હાથ પહેલા તોડવામાં આવ્યા હતા, પછી રૂમમાં બંધ કરીને સળગાવી દેવામાં આવ્યા હતા. એક પછી એક લોકો અહીં દોડી રહ્યા છે, બાળકો અને વૃદ્ધો ભાગી રહ્યા છે, લોકો હવે અહીં રહેવા માટે યોગ્ય નથી. પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ છે, અમે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છીએ છીએ, અમે પશ્ચિમ બંગાળમાં જન્મ્યા એ ગુનો નથી, આ માતા કાલીની ભૂમિ છે. જ્યારે રૂપા ગાંગુલી ગૃહમાં પોતાનું નિવેદન આપી રહી હતી, ત્યારે ટીએમસી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હિંસા બાદ મમતા સરકારે તેની તપાસ માટે એક SITની રચના કરી હતી, પરંતુ ભાજપ સમગ્ર મામલાની CBI તપાસની માગ કરી રહ્યું હતું. આવા સમયે આ ઘટના બાદ TMC સાંસદ બિસ્વજીત દેબે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની વસ્તી 11 કરોડ છે અને જો અડધી રાત્રે આવી ઘટના બને તો પોલીસ શું કરી શકે છે. તેમના નિવેદન પર BJP પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે તેમની પોલીસ રાત્રે સૂતી હોય છે, તેઓ કહેવા માગે છે કે તેમની સરકાર અને પોલીસ 11 કરોડ લોકોની સુરક્ષા કરી શકતા નથી.

ભાજપે મમતાને નિર્દય ગણાવી

ટીવી ડિબેટ દરમિયાન સંબિત પાત્રાએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા અને તેમને નિર્દય બેનર્જી કહ્યા હતા. 8 લોકોને ઘરની અંદર બંધ કરીને સળગાવી દેવામાં આવ્યા હતા અને પોલીસે તેમની મદદ પણ કરી ન હતી. ટીએમસીના પ્રવક્તાનું કહેવું છે કે, જો ઘટના અડધી રાત્રે બને તો પોલીસ શું કરી શકે, એટલે કે પોલીસ રાત્રે સૂતી રહે. બંગાળની વસ્તી 11 કરોડ છે, તો શું લોકોને મરવા દેવામાં આવશે? સંબિત પાત્રાએ કહ્યું કે, ભાજપે ઉત્તર પ્રદેશમાં જોરદાર જીત નોંધાવી, પરંતુ પરિણામો બાદ રાજ્યમાં એક પણ હિંસક ઘટના બની નથી.

આખું બંગાળ ટીએમસીના મતભેદને જાણે છે

બીજી તરફ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ બિસ્વજીત દેબના નિવેદન પર કહ્યું કે, આ લોકોએ પોતે જ તેમના ડીજીપીનું નિવેદન સાંભળવું જોઈએ, તેઓ પોતે જ કહે છે કે, આ સમગ્ર મામલામાં કોઈ રાજકીય એંગલ નથી. સમગ્ર બંગાળના લોકો જાણે છે કે, ટીએમસીમાં આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે, આ લોકો તેમના કાર્યકરો સાથે આવું કરી રહ્યા છે, તો કલ્પના કરો કે આ લોકોએ વિપક્ષ સાથે શું કર્યું હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X