‘રાહુલ ગાંધી મંદબુધ્ધિ છે, શીખવાની પણ એક ઉંમર હોય'
ભારતીય જનતા પક્ષના નેતા સરોજ પાંડેએ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે.
ભારતીય જનતા પક્ષના નેતા સરોજ પાંડેએ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. છત્તીસગઢના દુર્ગમાં ભાજપ નેતા સરોજ પાંડેએ ગુરુવારે રાહુલ ગાંધીને મંદબુધ્ધિ કહ્યા. ભાજપ નેતાનું કહેવુ હતુ કે રાહુલ ગાંધી શીખવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમને સમજદાર ન કહી શકાય.
ભાજપના નેતા સરોજ પાંડેએ રાહુલ પર કર્યો કટાક્ષ
ભારતીય જનતા પાર્ટીના નેતા સરોજ પાંડેનું કહેવુ હતુ કે રાહુલ ગાંધી જે રીતે વાતો બોલે છે તેના પર આશ્ચર્ય થાય છે. કારણકે શીખવાની પણ એક ઉંમર હોય છે. જો કોઈ માણસ 40 વર્ષની ઉંમર બાદ શીખે છે તો તેને સમજદાર ન કહી શકાય. આવા માણસને મંદબુધ્ધિ કહેવામાં આવે છે.
|
રાહુલ ગાંધી પર પહેલા પણ કરાયા છે આવા હુમલા
ભાજપ નેતાનું નિવેદન વિવાદ કરાવનારુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ભાજપ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. જો કે, રાહુલ ગાંધી પર કરવામાં આવેલા આ નિવેદન પર કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. છત્તીસગઢમાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી થવાની છે. આ નિવેદન અંગે કોંગ્રેસ ભાજપ પર હુમલો કરી શકે છે.
હાલમાં જ રાહુલ ગાંધીએ કોકાકોલા અંગે આપ્યુ હતુ નિવેદન
તમને જણાવી દઈએ કે હાલમાં જ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોકોકોલા કંપનીના માલિક ‘અમેરિકામાં શિકંજી વેચતા હતા' એવુ નિવેદન આપ્યુ હતુ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. ઘણા ભાજપ નેતાઓએ આની ટીકા કરી હતી.