થરૂરને મળ્યા વરૂણ ગાંધી, સ્વામીએ ગણાવી થરૂરની ચાલ
નવી દિલ્હી, 22 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના નેતા વરૂણ ગાંધી કોંગ્રેસના નેતા અને પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂરને મળવા માટે બુધવારે રાત્રે તેમના નિવાસ્થાને ગયા હતા. જેને લઇને રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે વરૂણ થરૂરને મળવા માટે અચાનક તેમના ઘરે પહોંચ્યા. વરૂણ અને થરૂરની આ મુલાકાતને લઇને ઘણા સવાલોની સાથે-સાથે વિવાદો પણ ઊભા થઇ રહ્યા છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી તેને થરૂરની ચાલ ગણાવી રહ્યા છે.
જ્યારે આ અંગે વરૂણ ગાંધી સાથે પૂછપરછ કરવામાં આવી ચો તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે તેઓ અને થરૂર વિદેશ મામલાની કમિટિના સભ્ય છે. અને તેઓ એ જ સિલસિલામાં થરૂરના ઘરે આવ્યા હતા. બાદમાં મામલો ગૂંચવાતા જોઇ વરૂણે ટ્વિટ કર્યું કે મને વિદેશ મામલાની કમિટિનાના હવેના સત્રના એજેન્ડાને લઇને થરૂરને મળવા ગયા હતા.
નોંધનીય છે કે શશિ થરૂરની દિલ્હી પોલીસ તેમની પત્ની સુનંદા પુષ્કરની હત્યાના મામલે પૂછપરછ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સ્વામી આ મુલાકાતને થરૂરની એક ચાલ ગણાવી રહ્યા છે.