ભાજપનું ઘોષણાપત્ર LIVE: એફડીઆઇને મંજૂરી નહીં

નવી દિલ્હી, 7 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી હાલ ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરી રહ્યાં છે. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિતના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ભાજપનું ઘોષણાપત્ર ટીવી પર જાહેર કરવામાં નહીં આવે, પરંતુ હવે તેને ટીવી પર પણ લાઇવ કરવામાં આવી રહ્યું છે.

bjp-manifesto
ઘોષણાપત્ર જાહેર કરતી વખતે જોશીએ કહ્યું કે, આતંકવાદને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવશે. મોંઘવારીને કાબુમાં લેવા માટે ઉચિત પગલાં ભરવામાં આવશે. વદેશમાંથી કાળું નાણું પરત લાવવામાં આવશે. ભાવને સ્થિર રાખવા માટે ફંડ પૂરુ પાડવામાં આવશે. નવી રોજગારી ઉભી કરવામાં આવશે તથા રોજગારીની ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. ભ્રષ્ટાચાર રોકવા માટે ઇ ગવર્નન્સ લાવવામાં આવશે.

તેમણે વધુંમાં કહ્યું કે, રિટેલમાં એફડીઆઇને મંજૂરી નહીં આપવામાં આવે. એફસીઆઇને ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે. સ્વર્ણિ ચતુર્ભુજ બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. બ્લેક માર્કેટિંગ રોકવા માટે સ્પેશિયલ કોર્ટ શરૂ કરવામાં આવશે. ટેક્સ ટેરેરિઝમ રોકવા કડક પગલાં હાથ ધરવામાં આવશે. ટેક્સ નિયમોમાં સુધારો કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાની જેમ બ્રાન્ડ ઇન્ડિયા પર જોર આપવામાં આવશે. આયાત-નિકાસના નવા કાયદા લાવવામાં આવશે, બેન્કોની ખરાબ હાલત સુધારવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X