નવી દિલ્હી, 7 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી હાલ ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરી રહ્યાં છે. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિતના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ભાજપનું ઘોષણાપત્ર ટીવી પર જાહેર કરવામાં નહીં આવે, પરંતુ હવે તેને ટીવી પર પણ લાઇવ કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુંમાં કહ્યું કે, રિટેલમાં એફડીઆઇને મંજૂરી નહીં આપવામાં આવે. એફસીઆઇને ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે. સ્વર્ણિ ચતુર્ભુજ બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. બ્લેક માર્કેટિંગ રોકવા માટે સ્પેશિયલ કોર્ટ શરૂ કરવામાં આવશે. ટેક્સ ટેરેરિઝમ રોકવા કડક પગલાં હાથ ધરવામાં આવશે. ટેક્સ નિયમોમાં સુધારો કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાની જેમ બ્રાન્ડ ઇન્ડિયા પર જોર આપવામાં આવશે. આયાત-નિકાસના નવા કાયદા લાવવામાં આવશે, બેન્કોની ખરાબ હાલત સુધારવામાં આવશે.