રાજસ્થાનમાં કમળ ખીલવશે રાજે, ગહેલોત સરકાર મુશ્કેલીમાં: સર્વે
નવી દિલ્હી, 30 ઓક્ટોબર: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપને મોટી સફળતા હાથ લાગી શકે છે. અત્રે અશોક સરકાર ફરી સત્તામાં આવે તેવા સંકેતો ખૂબજ ઓછા છે. રાજસ્થાનમાં સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણ સામે આવ્યું છે.
સર્વેની માનીએ તો અત્રે કોંગ્રેસને 32 ટકા વોટ મળી શકે છે, જ્યારે ભાજપના ખાતમાં 41 ટકા વોટ પડી શકે છે. જ્યારે બસપાને 7 ટકા અને અન્યોને 20 ટકા વોટ મળવાની સંભાવના છે. આ આધારે ભાજપને 115-125 બેઠકો, કોંગ્રેસ 60-68 બેઠકો અને બીએસપીને 4-8 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યોના ખાતામાં 8-12 બેઠકો થઇ શકે છે.
જ્યાં સુધી સરકારના કામકાજની વાત છે તો એ અંગે લોકોના અભિપ્રાય સરકારની વિરુદ્ધ થઇ રહ્યા છે. માત્ર 31 ટકા લોકો સરકારના કામકાજથી ખુશ છે, જ્યારે 45 ટકા લોકો નાખુશ છે. જ્યારે 24 ટકા લોકોએ પોતાનો કોઇ અભિપ્રાય વ્યક્ત નથી કર્યો.
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનો સર્વે જાણવા અહીં ક્લિક કરો...
આ ઉપરાંત જ્યારે અશોક ગહેલોતને એક તક આપવાની વાત સર્વેમાં આવી તો 50 ટકા લોકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું. જ્યારે 38 ટકા લોકો આની વિરુદ્ધમાં ગયા. જ્યારે 12 ટકા લોકોએ પોતાના મંતવ્યો ના આપ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએસડીએસએ આ સર્વે કર્યો છે. 14થી 21 ઓક્ટોબરની વચ્ચે થયેલા આ સર્વેમાં 49 વિધાનસભા બેઠકો પર જનતાના અભિપ્રાયો લેવાયા. 196 પોલિંગ સ્ટેશનોના 4427 વોટરો સાથે વાતચીત કરવામાં આવી.
વિસ્તૃત
માહિતી
સ્લાઇડરમાં...
રાજસ્થાનમાં ભાજપની સ્થિતિ મજબૂત
છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપને મોટી સફળતા હાથ લાગી શકે છે. અત્રે અશોક સરકાર ફરી સત્તામાં આવે તેવા સંકેતો ખૂબજ ઓછા છે. રાજસ્થાનમાં સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણ સામે આવ્યું છે.
ભાજપને 115-125 બેઠકો મળશે
સર્વેની માનીએ તો અત્રે કોંગ્રેસને 32 ટકા વોટ મળી શકે છે, જ્યારે ભાજપના ખાતમાં 41 ટકા વોટ પડી શકે છે. જ્યારે બસપાને 7 ટકા અને અન્યોને 20 ટકા વોટ મળવાની સંભાવના છે. આ આધારે ભાજપને 115-125 બેઠકો, કોંગ્રેસ 60-68 બેઠકો અને બીએસપીને 4-8 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યોના ખાતામાં 8-12 બેઠકો થઇ શકે છે.
લોકોના અભિપ્રાય કોંગ્રેસની વિરુદ્ધ
જ્યાં સુધી સરકારના કામકાજની વાત છે તો એ અંગે લોકોના અભિપ્રાય સરકારની વિરુદ્ધ થઇ રહ્યા છે. માત્ર 31 ટકા લોકો સરકારના કામકાજથી ખુશ છે, જ્યારે 45 ટકા લોકો નાખુશ છે. જ્યારે 24 ટકા લોકોએ પોતાનો કોઇ અભિપ્રાય વ્યક્ત નથી કર્યો.
અશોક ગહેલોતને એક તક આપવાની વાત
આ ઉપરાંત જ્યારે અશોક ગહેલોતને એક તક આપવાની વાત સર્વેમાં આવી તો 50 ટકા લોકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું. જ્યારે 38 ટકા લોકો આની વિરુદ્ધમાં ગયા. જ્યારે 12 ટકા લોકોએ પોતાના મંતવ્યો ના આપ્યા.
સીએસડીએસએ આ સર્વે કર્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે સીએસડીએસએ આ સર્વે કર્યો છે. 14થી 21 ઓક્ટોબરની વચ્ચે થયેલા આ સર્વેમાં 49 વિધાનસભા બેઠકો પર જનતાના અભિપ્રાયો લેવાયા. 196 પોલિંગ સ્ટેશનોના 4427 વોટરો સાથે વાતચીત કરવામાં આવી.