સલમાન ખાનને 5 વર્ષની કેદ, જેલમાં આસારામ સાથે રહેશે
અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, તબુ, નીલમ અને સોનાલી બેન્દ્રે પર ચાલી રહેલો 20 વર્ષ જૂનો કાળા હરણ કેસ મામલે આજે ચુકાદો આવી ગયો છે.
અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, તબુ, નીલમ અને સોનાલી બેન્દ્રે પર ચાલી રહેલો 20 વર્ષ જૂનો કાળા હરણ કેસ મામલે આજે ચુકાદો આવી ગયો છે. જેમાં અભિનેતા સલમાન ખાનને દોષિત જાહેર કરીને 5 વર્ષ જેલની સજા આપી છે. એટલું જ નહીં પરંતુ સલમાન ખાન પર 10,000 રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સલમાન ખાન સિવાય બીજા બધાને નિર્દોષ જાહેર કર્યા છે. સલમાન ખાનને જોધપુર જેલ મોકલવામાં આવી રહ્યા છે.
હવે ધ્યાન આપવા જેવી બાબત છે કે સલમાન ખાનને આસારામ બાપુ સાથે રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે જોધપુર સેન્ટ્રલ જેલની બેરેક નંબર 2 માં યૌન ઉત્પીડન આરોપી આસારામને રાખવામાં આવ્યા છે. હાલમાં જે જાણકારી મળી રહી છે તેના મુજબ સલમાન ખાનને પણ તે બેરેકમાં રાખવામાં આવી શકે છે.
આપણે જણાવી દઈએ કે પહેલા પણ જયારે સલમાન ખાનને 7 દિવસ જેલ જવું પડ્યું હતું ત્યારે તેમને જોધપુર સેન્ટ્રલ જેલની બેરેક નંબર 1 માં રાખવામાં આવ્યા હતા. સલમાન ખાન પર આરોપ છે કે વર્ષ 1998 દરમિયાન એક અને બે ઓક્ટોબરની રાત્રે સલમાન ખાને અલગ અલગ વિસ્તારોમાં કાળા હરણનો શિકાર કર્યો હતો.