ઈલેક્શન હાર્યા વિના લોકસભામાં ભાજપની બે સીટો ઓછી, હવે માત્ર 272
કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પરિણામ પછી બીએસ યેદુરપ્પા ઘ્વારા કર્ણાટક મુખ્યમંત્રી પદ માટે શપથ લીધી અને પોતાના સંસદ પદથી રાજીનામુ આપ્યું.
કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પરિણામ પછી બીએસ યેદુરપ્પા ઘ્વારા કર્ણાટક મુખ્યમંત્રી પદ માટે શપથ લીધી અને પોતાના સંસદ પદથી રાજીનામુ આપ્યું. યેદુરપ્પા સાથે શ્રીરામાલું ઘ્વારા સંસદ પદ માટે શપથ લેવામાં આવી. વર્ષ 2014 લોકસભા ઈલેક્શન દરમિયાન ભાજપે પોતાના દમ પર 282 સીટો જીતીને બહુમત મેળવ્યો હતો. પરંતુ ઉપચુનાવમાં હાર અને કેટલાક સંસદના રાજીનામા પછી ભાજપ લોકસભામાં બહુમતના આંકડા 272 (સ્પીકર ને છોડીને) થી નીચે આવી ગયી છે.
ભારતીય જનતા પાર્ટીની સીટો ઓછી થયી
તેના સિવાય ભારતીય જનતા પાર્ટીના સંસદ કીર્તિ આઝાદ પાર્ટીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે પાર્ટી સંસદ શત્રુગ્ન સિન્હા બાગી બની ચુક્યા છે. તેઓ સતત પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે.
ગોરખપુર અને ફુલપુર ઉપચુનાવમાં બીજેપી હારી
વર્ષ 2014 લોકસભા ઈલેક્શનમાં 30 વર્ષ પછી એવું થયું કે કોઈ પાર્ટીએ 272 નો આંકડો પૂર્ણ બહુમત સાથે મેળવ્યો હોય. ભલે હાલમાં લોકસભામાં ભાજપના 272 કરતા ઓછા સાંસદ થઇ ગયા હોય પરંતુ મોદી સરકાર પર કોઈ જ ખતરો નથી દેખાઈ રહ્યો કારણકે પોતાના સહયોગી સાથે મળીને તેઓ બહુમતનો આંકડો સરળતાથી પાર કરી લેશે. આ વર્ષે માર્ચ મહિનામાં ગોરખપુર અને ફુલપુર ઉપચુનાવમાં બીજેપી હારી હતી. આ હાર સાથે તેમનો લોકસભાનો આંકડો 274 થઇ ગયો.
28 મેં દરમિયાન ચાર લોકસભા ઉપચુનાવ
28 મેં દરમિયાન ચાર લોકસભા સીટ પર ઉપચુનાવ થવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રની ભંડારા-ગોંદિયા, પાલઘર, યુપીની કેરાના અને નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યૂ રિયો ઘ્વારા આપવામાં આવેલા રાજીનામા પછી સીટો ખાલી થયી છે. આ સીટો પર જીતવા માટે ભાજપ પોતાની બધી જ તાકાત લગાવી દેશે.