બોર્ડર પર BSF એ 9 હુમલા કરી પાકિસ્તાનને આપ્યો વળતો જવાબ
પાકિસ્તાન તરફથી જમ્મુના ઘણા સેક્ટર્સમાં કરાઈ રહેલ ફાયરિંગનો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાન તરફથી જમ્મુના ઘણા સેક્ટર્સમાં કરાઈ રહેલ ફાયરિંગનો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. બીએસએફે અખનૂર ક્ષેત્રમાં બોર્ડર અને એલઓસી પાસે સ્થિત પાકિસ્તાન મિલિટ્રીની પોસ્ટ્સ અને બંકર્સ પર એક પછી એક નવ હુમલા કર્યા છે જેમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની રેંજર્સ માર્યા ગયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આમાં ત્રણ રેંજર્સ ઘાયલ પણ છે.

એલઓસી અને બોર્ડર પર પાકિસ્તાનની પોસ્ટ પર હુમલા
સૂત્રો મુજબ બીએસએફે આ હુમલા જમ્મુના અખનૂર અને કનાચક વિસ્તારમાં પાકિસ્તાની રેંજર્સ તરફથી ચાલી રહેલ ફાયરિંગ અને શેલિંગના જવાબ રૂપે કર્યા છે. પાકિસ્તાનની ફાયરિંગમાં બીએસએફના બે જવાન શહીદ થઈ ગયા હતા તેમજ 15 સામાન્ય નાગરિક અને એક પોલિસ ઓફિસરનું પણ મોત થઈ ગયુ હતુ. સૂત્રો તરફથી જે જાણકારી મળી છે તે મુજબ પાકિસ્તાનને જવાબ આપવો બહુ જરૂરી હતો કારણકે તે સતત બીએસએફની પોસ્ટ અને નાગરિકો પર હુમલા કરી રહ્યા હતા. પાકિસ્તાને કનાચક અને અખનૂરમાં લગભગ 31 ગામોને નિશાન બનાવ્યા છે આના કારણે બોર્ડરના વિસ્તારોમાં વસેલા લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે.

40 મિનિટ સુધી થઈ કમાન્ડર લેવલની મીટિંગ
બીએસએફે પાકિસ્તાની મિલિટ્રીની 10 પોસ્ટને નિશાન બનાવી છે અને ઘણી પોસ્ટને આ હુમલામાં બરબાદ કરી દીધી છે. આ ઉપરાંત બીએસએફ અને પાકિસ્તાની રેંજર્સ વચ્ચે કમાન્ડર સ્તરની એક મીટિંગ પૂર્ણ થઈ જે લગભગ 40 મિનિટ સુધી ચાલી. આ મીટિંગમાં બંને પક્ષોએ એલઓસી પર શાંતિ જાળવવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. બીએસએફ તરફથી આ મીટિંગ અંગે એક અધિકૃત નિવેદન પણ જારી કરવામાં આવ્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ‘આજની મીટિંગ એક સ્વતંત્ર માહોલમાં થઈ અને આમાં બોર્ડર પર બંને તરફ સ્થિત ગામોને ફાયરિંગથી ફ્રી કરવા પર ચર્ચા કરવામાં આવી.' બંને તરફથી એ વાત પર પણ ધ્યાન આપ્યુ કે ભરોસા માટે દરેક સ્તર પર વાતચીત માટે દરવાજા ખુલ્લા રહેવા જોઈએ. પરંતુ જમ્મુ, સાંબા અને કઠુઆ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે ડર અને ભયનો માહોલ છે અને તેમને પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ વચન પર બિલકુલ ભરોસો નથી.

સિઝફાયર બાદ પણ ચાલુ છે ફાયરિંગ
પાકિસ્તાન તરફથી રવિવારે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ અને તે સોમવારે સવારે લગભગ 3 વાગે બંધ થયુ. આ ફાયરિંગના કારણે લોકોને ઘરની અંદર અને બંકર્સમાં રહેવા માટે મજબૂર થવુ પડ્યુ છે. તેમને ડર છે કે દિવસમાં ક્યારેય પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગની શરૂઆત થઈ શકે છે. ગયા મહિને પણ પાકિસ્તાની ફાયરિંગમાં બીએસએફના બે જવાન શહીદ થઈ ગયા હતા. વળી 10 નાગરિકોના મોત નીપજ્યા હતા. ભારતે વર્ષ 1989 થી અત્યાર સુધી લગભગ 70,000 લોકોને પાકિસ્તાનની ફાયરિંગ અને આતંકવાદી હુમલામાં ગુમાવી દીધા છે. બંને દેશો વચ્ચે હાલમાં જ યુદ્ધવિરામ સમજૂતી લાગૂ કરવા પર સંમતિ થઈ હતી તેમછતાં બોર્ડર પર માહોલ સતત તણાવપૂર્ણ છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા








Click it and Unblock the Notifications
