બુરાડી મામલે રહસ્યમયી બાબાની એન્ટ્રી, કોલ ડિટેલથી ખબર પડશે
બુરાડીમાં 11 લોકોની મૌત મામલે મોટી અને લેટેસ્ટ ખબર આવી છે કે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને આ મામલે એક બાબાની તલાશ છે.
દિલ્હીના બુરાડીમાં 11 લોકોની મૌત મામલે રિપોર્ટમાં હેરાન કરતા ખુલાસા થઇ રહ્યા છે. સૂત્રો અનુસાર રિપોર્ટમાં તંત્ર મંત્રની વાત સામે આવવા સિવાય એવું પણ સાફ દેખાઈ રહ્યું છે કે આખો મામલો અપરાધિક ષડયંત્ર નહીં, પરંતુ આત્મહત્યાનો છે. બુરાડીમાં 11 લોકોની મૌત મામલે મોટી અને લેટેસ્ટ ખબર આવી છે કે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને આ મામલે એક બાબાની તલાશ છે. પોલીસને શંકા છે કે આ બાબાએ પરિવારને મોક્ષ પ્રાપ્તિ કરવા માટે આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યા છે. બાબાનું નામ જાનેગર્દી જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ મરનાર લોકોના ફોન તપાસી રહી છે, જેથી આ વ્યક્તિ વિશે કોઈ પુરાવા મળી શકે.
પરિવાર વર્ષ 2015 થી રજીસ્ટર પર નોટ લખી રહ્યો હતો
પોલીસને શંકા છે કે દિલ્હીના બુરાડી પરિવારને મોક્ષ માટે મૌતનો રસ્તો બતાવનાર જાનેગર્દી બાબા છે. પોલીસને ઘટનાસ્થળે જે પુરાવા મળ્યા છે તે આ વાત તરફ ઈશારો કરે છે કે આખો મામલો તંત્ર મંત્ર અને અંધવિશ્વાસ સાથે જોડાયેલો છે. જે હાલતમાં 11 લાશો મળી અને જે પ્રકારે ઘરના મંદિરના રજીસ્ટરમાં વાતો સામે આવી છે તે આ બાબત તરફ ઈશારો કરે છે. દિલ્હીના બુરાડી પરિવાર વર્ષ 2015 થી રજીસ્ટર પર નોટ લખી રહ્યો હતો.
રજીસ્ટર પણ તંત્ર મંત્ર તરફ ઈશારો કરી રહ્યું છે
હેરાન કરતી બાબત છે કે દિલ્હીના બુરાડીમાં પરિવારના 11 લોકોની લાશ એકદમ એવી જ હાલતમાં મળી જેવું રજીસ્ટરમાં લખ્યું હતું. રજીસ્ટરમાં બધું જ લખ્યું હતું કે કોણ ક્યાં લટકશે અને બિલકુલ તેવી જ રીતે લાશ લટકેલી મળી. રજીસ્ટરમાં મૃત્યુની તારીખ, મૃત્યુનો દિવસ અને સમય પણ લખ્યો હતો.
11 પાઇપ અને 11 લાશોનું રહસ્ય
દિલ્હીના બુરાડીમાં ઘરની પાછળ 11 પાઇપ બહાર નીકળી રહ્યા છે. ઘરમાં 11 લોકોના શવ મળ્યા છે. હવે પોલીસ આ બાબત સમજવાની કોશિશ કરી રહી છે કે આખરે 11 પાઇપ અને 11 લાશો વચ્ચે કનેક્શન શુ છે. કેટલાક પાઇપ નીચે તરફ વળેલા છે જયારે કેટલાક પાઇપ સીધા છે. મરનારમાં 7 મહિલા અને 4 પુરુષ છે. બિલકુલ તેવી જ રીતે ઘરની પાછળ લાગેલા 11 પાઈપમાં 7 પાઇપ વળેલા છે અને 4 પાઇપ સીધા છે.