સૌથી મોટા પરિવહન વિમાનના આગમનથી વધશે ભારતીય વાયુદળની શક્તિ
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: છેલ્લા ઘણા સમયથી ભારતના સરહદી પ્રશ્નોએ માઠું ઉચક્યું છે. અવારનવાર પાડોશી દેશો નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન અને ઘુસણખોરી કર્યા કરે છે. જેના પગલે સરહદ પર સૈનિકો અને ટેંકો અને ઉપકરણોને ઝડપથી પહોંચાડવાની ભારતીય વાયુદળની ક્ષમતાને મજબૂતી આપવાના ઉદ્દેશ્યથી રક્ષા મંત્રી એ.કે. એંટની સોમવારે સૌથી મોટા 70 ટનના સી-17 પરિવહન વિમાનને હિંડન હવાઇ મથક પર આજે વાયુદળમાં સમાવેશ કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા વિમાનને રક્ષામંત્રી ઔપચારીક રીતે સેનામાં સામેલ કરશે. અમેરિકન સી-17માં લગભગ 80 ટનની ક્ષમતા અને 150 તૈયાર સૈનિકોને લઇ જવાની ક્ષમતા છે. આ વિમાન રશિયાના આઇએલ-76નું સ્થાન લેશે જે અત્યાર સુધી વાયુદળમાં હતું.
વિમાનથી ભારતીય વાયુદળની સંચાલન ક્ષમતામાં વધારો થવાની આશા છે, અને આપત્તિ રાહત અને આ પ્રકારના અભિયાન દરમિયાન તેની પહોંચની ક્ષમતા વધશે. દસ વિમાન મળ્યા બાદ ભારતીય વાયુદળ વધુ છ વિમાન ખરીદવાનો વિચાર કરી રહી છે. હાલના સમયે વાયુસેનાએ રશિયાના વિમાનો પર નિર્ભરતા છોડીને અમેરિકન વિમાનો પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે.