C-Voter Opinion Poll 2021: તમિલનાડુની જનતા કોને સત્તા સોંપશે, જાણો શું કહે છે સર્વે
કોરોના વાયરસ સામે ટીકાકરણ અભિયાન વચ્ચે આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજનાર છે. જેમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, પોંડીચેરી, આસામ, તમિલનાડુ, અને કેરળ સામેલ છે. આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોનું હજી સુધી એલાન નથી થયું પરંતુ રાજનૈતિક પાર્ટીઓએ કમર કસી લીધી છે, અને આ ચૂંટણીમાં જનતાનો મૂડ શું છે તેને લઈને પણ સસ્પેંસ બનેલ છે.
તમિલનાડુની જનતાનો મંતવ્ય શું છે
ઉદ્ધવ ઠાકરે પર ભડક્યા યેદુરપ્પા, બોલ્યા - એક ઇંચ જમીન પણ નહી આપીયે
હાલમાં જ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021ને લઈ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે જેમાં આ વાતનો અંદાજો લગાવવામાં આવ્યો છે કે તમિલનાડુની જનતાએ કઈ પાર્ટીના હાથમાં રાજ્યની સત્તા સોંપવાનો મૂડ બનાવ્યો છે. ઓપિનિયન પોલ મુજબ યૂપીએને 158થી 166 સીટ મળી શકે છે. જ્યારે એનડીએના ખાતામાં 60-68 સીટ જઈ શકે છે. એમએનએમને 0થી 4 અને અએમએમકેને 2-6 સીટ મળી શકે છે. અન્યના ખાતામાં 0-4 સીટ જઈ શકે છે.
કરુણાનીધિ અને જયલલિતા વિના પહેલી ચૂંટણી
જણાવી દઈએ કે આ વર્ષે તમિલનાડુમાં 234 વિધાનસભા સીટ પર મતદાન થનાર છે, જેને લઈ રાજ્યની તમામ પ્રમુખ પાર્ટીઓએ ધુઆંધાર કેમ્પેન શરૂ કરી દીધું છે. તમિલનાડુની વર્તમાન સત્તારુઢ પાર્ટી એઆઈએડીએમકે પોતાના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીના પાંચ વર્ષના કાર્યકાળમાં હાંસલ કરેલી ઉપલબ્ધિઓ ગણાવી રહી છે. જ્યારે બીજી તરફ વિપક્ષી ડીએમકે-કોંગ્રેસ ગઠબંધને ચૂંટણી પહેલાં જ આક્રમક તેવર અપનાવ્યા છે, વિપક્ષી નેતા સતત એઆઈએડીએમકે અને સીએમ પલાનીસ્વામી પર હુમલો બોલી રહ્યા છે. જણાવી દઈએ કે તમિલનાડુમાં પહેલીવાર છે જ્યારે વર્ષો સુધી રાજ્યની સત્તા પર રાજ કરનાર કરુણાનિધિ અને જે જયલલિતા વિના ચૂંટણી લડાશે.