કોલગેટ: બેકફૂટ પર CBI, બંધ થશે બિરલા સામેનો કેસ!
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: કોલસા ખાણ ફાળવણીમાં સીબીઆઇ હિંડાલ્કોના માલિક કુમાર મંગલમ બિરલાની સામે કેસ બંધ કરી શકે છે. સૂત્રો અનુસાર સીબીઆઇનું કહેવું છે કે એફઆઇઆર માત્ર શરૂઆતી કાર્યવાહી છે અને જો તપાસમાં કંઇ ખોટું નહીં મળી આવે તો કેસ બંધ થઇ શકે છે.
આ પહેલા વડાપ્રધાને હિંડાલ્કોને કોલ બ્લોક આપવાના નિર્ણયને બિલકૂલ યોગ્ય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હિંડાલ્કોને મેરિટના આધાર પર કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં કંઇ ખોટું નથી થયું. આ પહેલા કુમાર મંગલમ નાણામંત્રી ચિદમ્બરમને પણ મળી ચૂક્યા છે. બીજી બાજું સીબીઆઇએ આ કોલ બ્લોક મેળવવાના આધાર પર જ મંગલમ બિરલા પર એફઆઇઆર નોંધાવી છે.
મળતી જાણકારી અનુસાર કોલસા ખાણ ફાળવણી કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ હવે કોલસા કૌભાંડની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠ કરી રહી છે.