Covid-19: પલાયન કરી રહેલા પ્રવાસીઓના ખાતામાં પૈસા જમા કરે કેન્દ્ર સરકાર - રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યુ કે કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સંકટના કારણે શહેરોમાંથી પલાયન કરી રહેલ પ્રવાસી મજૂરોના બેંક ખાતામાં પૈસા જમા કરાવે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યુ કે કોરોના વાયરસ સંકટના કારણે શહેરોમાંથી પલાયન કરી રહેલ પ્રવાસી મજૂરોના બેંક ખાતામાં પૈસા જમા કરાવવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ, 'પ્રવાસી મજૂર એક વાર ફરીથી પલાયન કરી રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેમના બેંક ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે. પરંતુ કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવા માટે જનતાને દોષી ગણાવતી સરકાર શું આવુ જન સહાયક પગલુ લેશે?'

દિલ્લીમાં 6 દિવસનુ લૉકડાઉન
કોરોના વાયરસના કેસ દેશભરમાં ઝડપથી વધી રહ્યા છે. એવામાં સરકારે ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે. આ તરફ રાજધાની દિલ્લીમાં લાગુ કરવામાં આવેલ 6 દિવસના લૉકડાઉનના એલાન બાદ સેંકડો પ્રવાસી મજૂરો પલાયન કરવા લાગ્યા છે. સોમવારે સાંજે પ્રવાસીઓની ભીડ આનંદ વિહાર બસ ટર્મિનસ પર જમા થઈ ગઈ જેના કારણે રાજધાનીમાં ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક જામ થઈ ગયો. સેંકડોની સંખ્યામાં પ્રવાસી મજૂરો બસ સ્ટૉપ પર કલાકો સુધી રાહ જોતા રહ્યા.
પ્રિયંકા ગાંધીએ કહ્યુ - રોકડ મદદ આપવી જોઈએ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને કહ્યુ, 'કોવિડ મહામારીની ભયાનકતાને જોઈને તો એ સ્પષ્ટ હતુ કે સરકારે લૉકડાઉન જેવા મોટા પગલાં ઉઠાવવા પડશે પરંતુ પ્રવાસી શ્રમિકોને ફરીથી એક વાર તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા. શું આ તમારી યોજના છે? નીતઓ એવી હોવી જોઈએ જે બધાનુ ધ્યાન રાખે.' પ્રિયંકા ગાંધીએ સરકારને આગ્રહ કરીને લખ્યુ, 'ગરીબો, શ્રમિકો, લારીવાળાને રોકડ મદદ સમયની માંગ છે. કૃપા કરીને આ કરો.' તમને જણાવી દઈએ કે ગયા વર્ષે દેશભરમાં લૉકડાઉન લાગ્યુ હતુ ત્યારે પણ પ્રવાસી મજૂરોના આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે મજૂરોએ પગપાળા કે પછી સાયકલથી પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
