' ..તો તોગડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે'
અધિકારીઓએ જણાવ્યું છે, 'ગૃહમંત્રાલયની સલાહ સ્પષ્ટ છે. એકવાર ફોરેન્સિક પુરાવા થકી તેમના પરના આરોપ નક્કી થઇ જાય, ત્યારબાદ તોગડિયા વિરુદ્ધ કાયદા પ્રમાણે પગલા ભરવામાં આવે.' મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને આશ્વાસન આપ્યું છે કે, તોગડિયા વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી આરપીએન સિંહે કહ્યું કે, જો તોગડિયાનું ભાષણ ઉશ્કેરણીજનક હશે તો તેમના વિરુદ્ધ ચોક્કસ પગલા ભરવામાં આવશે.
રાજ્યની કોંગ્રેસ શાસિત સરકાર દ્વારા ફોરેન્સિંક એક્ઝામિનેશનને નિર્દેશ આપી દીધા છે અને હવે તેના અહેવાલની રાહ જોવાઇ રહી છે. 22 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર જિલ્લાના નાંદેદના ભોખર ગામે મળેલી એક જાહેર સભામાં પ્રવિણ તોગડિયાએ ભાષણ કર્યું હતું જે વીડિયો રેકોર્ડિંગ ઓન લાઇન પોસ્ટ કરવામાં આવ્યા બાદ વિવાદ ચગ્યો હતો. આ વીડિયોમાં તોગડિયાએ એમઆઇએમ ધારાસભ્ય અક્બરુદ્દિન ઓવૈસી અને એક ચોક્કસ સમાજાના લોકો પર હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે, ઓવૈસી દ્વારા આંધ્રપ્રદેશના એડિલાબાદ જિલ્લાના નિર્મલ શહેરમાં ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. જે બદલ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.