ચંદ્રયાન-2ની ચંદ્ર આસપાસ સફળ પરિક્રમાને એક વર્ષ પૂર્ણ થતાં ઈસરોએ જારી કર્યુ નિવેદન
ચંદ્રયાન 2એ ચંદ્રયાનની કક્ષામાં પરિક્રમા લગાવવાને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધુ છે. આ પ્રસંગે અંતરિક્ષ એજન્સી ઈસરો(ISRO)એ મિશન સાથે જોડાયેલ પ્રારંભિક ડેટા જારી કરીને જણાવ્યુ કે વિક્રમ લેંડર સૉફ્ટ લેંડિગમાં ભલે નિષ્ફળ રહ્યુ પરંતુ ઑર્બિટરે ચંદ્રમાની ચારે તરફ 4400 પરિક્રમાઓ પૂર્ણ કરી લીધી છે અને બધા આઠ ઑન-બોર્ડ ઉપકરણ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. ઑર્બિટરમાં ઉચ્ચ ટેકનિકવાળા કેમેરે લાગેલા છે જેથી તે ચંદ્રના બહારના વાતાવરણ અને તેની સપાટી વિશે માહિતી મેળવી શકે.

હજુ સાત વર્ષો માટે પૂરતુ ઈંધણ છે
ઈસરોએ કહ્યુ કે ચંદ્રયાન 2 પાસે હજુ સાત વર્ષો માટે પૂરતુ ઈંધણ છે. અંતરિક્ષ યાન સંપૂર્ણપણે ઠીક છે અને તેના બધી ઉપ-પ્રણાલિઓનુ પ્રદર્શન સામાન્ય છે. ઑર્બિટરને 100+/- 25kfcr ધ્રુવીય કક્ષા(ધ્રુવો સાથે ચંદ્રમાની પરિક્રમા)માં જાળવી રાખવામાં આવ્યુ છે. અંતરિક્ષ એજન્સી મુજબ જ્યારે કોઈ પણ ઉપગ્રહ કે અંતરિક્ષ યાન કોઈ નિશ્ચિત કક્ષામાં અંતરિક્ષમાં હોય છે તો તે એક નિશ્ચિત સપાટી પર જોરજોરથી હલે છે અને નિર્ધારિત રસ્તે અમુક સો મીટર કે અમુક કિલોમીટર આગળ વધી જાય છે.

ચંદ્રના ફોટા લેવા ઘણા ઉપકરણોનો ઉપયોગ
ઈસરોએ જણાવ્યુ છે કે ઑન-બોર્ડ આઠ વૈજ્ઞાનિક પેલોડનો સારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે કે સૂર્યની સ્થિતિના આધારે ચંદ્રમાની સપાટી પર રોશની આખુ વર્ષ અલગ અલગ હશે માટે જ્યારે પારંપરિક ઈમેજિંગ કેમેરા ખરાબ રોશનીના કારણે ફોટા ન લઈ શકે ત્યારે ઈસરો ચંદ્રના ફોટા લેવા અને અધ્યયન માટે ઘણા ઉપકરણોનો ઉપયોગ કરે છે.

ચંદ્રયાન-2નુ પ્રક્ષેપણ 22 જુલાઈ 2019ના રોજ
ભારતના બીજા ચંદ્ર અભિયાન ચંદ્રયાન-2નુ પ્રક્ષેપણ 22 જુલાઈ 2019ના રોજ કરવામાં આવ્યુ હતુ અને એક વર્ષ પહેલા એટલે કે 20 ઓગસ્ટે તેને ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 7 સપ્ટેમ્બરે ચંદ્રમા પર લેંડિંગ દરમિયાન લેન્ડર વિક્રમનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો કે બાદમાં માલુમ પડ્યુ કે વિક્રમે ચંદ્ર પર હાર્ડ લેંડિંગ કર્યુ છે. આ મિશનને ભૌગોલિક સ્થિતિ, ખનીજ વિજ્ઞાન, સપાટી રાસાયણિક સંરચના, થર્મો-ભૌતિક વિશેષતાઓ અને લૂનર એક્સોસ્ફીયર પર વિસ્તૃત માહિતી મેળવવાના ઉદ્દેશ સાથે લૉન્ચ કરવામાં આવ્યુ હતુ.
કોરોનાથી જીવ ગુમાવનાર સફાઈકર્મીના પરિવારને CM કેજરીવાલે સોંપ્યો 1 કરોડનો ચેક