મહંત નરેન્દ્ર ગીરી મોત કેસમાં ચાર્જશીટ દાખલ, આનંદ ગીરી સહિત 3ના નામ!
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સાથે સંબંધિત કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેની ચાર્જશીટ દાખલ કરી છે.
નવી દિલ્હી, 20 નવેમ્બર : અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સાથે સંબંધિત કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેની ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આનંદ ગીરી અને અન્ય બેના નામ આરોપી તરીકે જાહેર કર્યા છે. મહંત નરેન્દ્ર ગિરી 20 સપ્ટેમ્બરે પ્રયાગરાજના આશ્રમમાં તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. શરૂઆતમાં તેમનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું હોવાનું માનવામાં આવતું હતું પરંતુ સ્થળ પર અનેક શંકાસ્પદ વસ્તુઓને જોતા કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. નરેન્દ્ર ગીરી સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તે જેલમાં છે.

સીબીઆઈએ ચાર્જશીટમાં કહ્યું છે કે મહંત નરેન્દ્ર ગિરીને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આ માટે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્યો મહંત આનંદ ગિરી, આધ્યા પ્રસાદ તિવારી અને સંદીપ તિવારી પર આરોપો લગાવવામાં આવ્યા છે. કલમ 306 અને 120-બી (આત્મહત્યા માટે ઉશ્કેરણી અને આત્મહત્યાનું કાવતરું) હેઠળ ત્રણેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. CBIએ CJM કોર્ટ પ્રયાગરાજમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેની નોંધ લેતા કોર્ટે સુનાવણી માટે 25 નવેમ્બરની તારીખ આપી છે.
મહંત નરેન્દ્ર ગિરી 20 સપ્ટેમ્બરના રોજ પ્રયાગરાજમાં તેમના બાઘમ્બરી મઠમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેની પાસેથી એક કથિત સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે આનંદ ગીરીએ તેમની એક મહિલા સાથે સીજી બનાવ્યું છે, જેના કારણે હું પરેશાન છું અને આત્મહત્યા કરી રહ્યો છું. આ સુસાઈડ નોટ અને નરેન્દ્ર ગીરીનો મૃતદેહ ક્યા સંજોગોમાં મળ્યો તે અંગે અનેક પ્રકારના સવાલ ઉભા થયા હતા. રૂમ અને પંખા વગેરેની હાલત વિશે ઘણા લોકોએ કહ્યું હતું કે તેમના માટે આ રીતે આત્મહત્યા કરવી શક્ય જણાતી નથી. જે બાદ યુપી સરકારે મામલો સીબીઆઈને સોંપ્યો હતો.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
