પાકિસ્તાનને નીચુ દેખાડવાના ચક્કરમાં ખુદને બરબાદ કરી દીધા, ચેતન ભગતે ગણાવ્યા 6 કારણો
લેખક ચેતન ભગતે કહ્યુ છે કે આપણે આપણુ ઘણુ બધુુ નુકશાન એટલા માટે કર્યુ છે કારણકે આપણુ ધ્યાન પાકિસ્તાનને નીચુ દેખાડવા પર વધુ છે.
લેખક ચેતન ભગતે કહ્યુ છે કે આપણે આપણુ ઘણુ બધુુ નુકશાન એટલા માટે કર્યુ છે કારણકે આપણુ ધ્યાન પાકિસ્તાનને નીચુ દેખાડવા પર વધુ છે. ચેતન ભગતે ટ્વિટ કરીને એ છ કારણો જણાવ્યા છે જેના કારણે ખાસ કરીને ભારતની અર્થવ્યવસ્થા હાલના દિવસોમાં પાટા પરથી ખડી પડી છે. આમાં તેમણે પાકિસ્તાન, મુસલમાન અને સરકારને સવાલ ન કરવા જેવા કારણો પણ જણાવ્યા છે.

આપણી અર્થવ્યવસ્થાને દુર્દશાના આ 6 કારણો
ચેતન ભગતે ટ્વિટ કરીને લખ્યુ, આપણે આપણી અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. આવુ એટલા માટે કારણેક -
- આપણે પાકિસ્તાનને નીચુ દેખાડવાની કોશિશમાં વધુ લાગેલા છે.
- આપણે મુસલમાનો પર એક હોવા અને તેમની તમામ વસ્તુઓ વિશે વધુ વિચારીએ છીએ.
- આપણે સરકારને સવાલ કરવા અને તેમની જવાબદેહી નક્કી કરવાના બદલે તેમની પૂજા કરીએ છીએ.
- આઉટડેટેડ ઈકોનનૉમિક્સ
- આપણને લાગે છે કે બધા દુઃખ ભગવાનના આપેલ છે.
- આપણે રિયાલિટી ચેક ટ્વિટને પણ ટ્રોલ કરવા લાગીએ છીએ.

સરકાર પાસે બસ ચૂંટણી જીતવાની કલા
ચેતન ભગતના આ ટ્વિટ પર એક પત્રકારે લખ્યુ કે વધુ એક કારણ છે અને તે એ છે કે સરકાર પાસે કોઈ યોજના નથી. આના પર રિપ્લાય કરતા ચેતને લખ્યુ -સરકાર પાસે બસ એક શાનદાર યોજના છે કે ચૂંટણી કેવી રીતે જીતતા રહેવી છે, કારણકે તે લોકો જે ઈચ્છે છે તે આપવામાં માહિર છે. મને લાગે છે કે લોકો અર્થવ્યવસ્થાની પરવા જ નથી કરાત. બીજા ટ્વિટમાં ચેતને લખ્યુ - જો અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં નથી તો હું કહુ છુ કે આ સારા આકારમાં નથી. આમાં સુધારો થવો જોઈએ અને તેને સારી બનાવવી જોઈએ. મને આશા છે કે આપણે પણ આમ કરીશુ. જો કે માત્ર એટલા માટે કે મે કંઈક એવુ કહ્યુ છે જે તમે સાંભળવા નથી માંગતા તો એનો અર્થ એવો નથી કે હું બીજા પક્ષમાં જતો રહ્યો. હું સ્વતંત્ર રીતે વિચારુ છુ.

સતત સોશિયલ મીડિયા પર સક્રિય છે ચેતન
બહુચર્ચિત લેખત ચેતન ભગત ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. દેશમાં કોરોના વાયરસની તૈયારીઓ અને લૉકડાઉન વિશે પણ ચેતન લખતા રહે છે. હાલમાં જે તેમણે ટ્વિટ કરીને લખ્યુ હતુ - લૉકડાઉન અમીરોનો ખેલ છે. અમીર વ્યક્તિ બિમાર હોય તો રજા લઈને મહિના સુધી ઘરે બેસી શકે છે. ગરીબ પાસે એ વિકલ્પ નથી. એ જ રીતે અમીર દેશ લાંબા લૉકડાઉન કરી શકે છે. ગરીબ દેશ પાસે એ વિકલ્પ નથી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
