સીઆરપીએફ જવાને 5 સાથીઓને ગોળી મારી, 4ના મોત
દંતેવાડા, 25 ડિસેમ્બરઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં કેન્દ્રિય રિજર્વ પોલસી બળ(સીઆરપીએફ)ના જવાને સુતી વખતે પોતાના સાથીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં ચાર જવાનોનું મોત નિપજ્યું છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા મુખ્યાલયથી લગભગ 65 કિમી દૂર અરનપુર ગામ સ્થિત સીઆરપીએફમાં 111મી બટાલિયન એફ કંપનીના જવાન દીપ કુમાર તિવારીએ પાંચ જવાનોને ગોળી મારી હતી. ઘટના સ્થળે જ ચાર જવાનોનું મોત નિપજ્યું હતું જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.
સોમવારે રાત્રે લગભગ 12 વાગ્યે સીઆરપીએફ જવાનો ખાવાનું ખાઇને પોતાના બેરેકમાં સુઇ રહ્યાં હતા, તે દરમિયાન દીપ કુમાર બહાર ફરી રહ્યો હતો, અચાનક દીપ કુમારે બાજુમાં સુઇ રહેલા જવાનો પર ફાઇરિંગ કરી દીધું હતું. ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અચાનક થયેલા ગોળીબારનો અવાજ સાંભળીને અન્ય જવાન ઉઠી ગયા અને તેમણે દીપને પકડી લીધો. અધિકારી અને કેમ્પમાં ઉપસ્થિત ચિકિત્સક ત્યાં પહોંચી ગયા. પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપી દીપ કુમારે કહ્યું કે , છેલ્લા ઘણા દિવસથી તેની સ્વાસ્થ્ય સારું નથી, રાત્રે જ્યારે બધા જવાનો સુઇ રહ્યા હતા ત્યારે તેની માનસીક સ્થિતિ કથળી હતી અને તેણે ફાયરિંગ કર્યું હતું.