For Quick Alerts
For Daily Alerts
મહાસમુદ્ર: રોડ દુર્ઘટનામાં ભાજપ નેતા સહીત 10 યાત્રીઓની મૌત
મહાસમુદ્ર- સરાઈપલીમાં આજે સવારે એક ભયાનક રોડ દુર્ઘટનામાં 10 લોકોની મૌત થઇ ગઈ છે. આ ઘટના ઑડિશાની સીમા પર લાગેલા નૌપાડાની છે.
મહાસમુદ્ર- સરાઈપલીમાં આજે સવારે એક ભયાનક રોડ દુર્ઘટનામાં 10 લોકોની મૌત થઇ ગઈ છે. આ ઘટના ઑડિશાની સીમા પર લાગેલા નૌપાડાની છે, જ્યાંના સાકરા ગામમાં આ ભયાનક દુર્ઘટના થઇ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સામે આવેલી ટ્રક સાથે સ્કોર્પિયો સામેથી અથડાઈ, જેને કારણે 10 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગઈ. મરનાર લોકોમાં ભાજપાના સાકરા મંડળ અધ્યક્ષ સુરજિત સિંહ સહીત મેઘનાદ નિષાદ, મુકેશ અગ્રવાલ, ઘનશયામ નેતામ, દુલેશ્વરી નિષાદ મીના સાથે એક જ પરિવારના દિનેશ ડડસેનાં, તેમની પત્ની અને દીકરો પણ શામિલ છે.
બધા જ મૃતકો મહાસમુદ્ર જિલ્લાના સાકરા ગામના રહેવાસી છે. દુર્ઘટના પછી પોલીસ જગ્યા પર પહોંચી ચુકી છે ત્યારપછી તેમને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તેઓ આગળની તપાસ કરી રહ્યા છે.
Comments
English summary
Ten people died after a car collided with a truck in Mahasamund last night in Chhattisgarh
Story first published: Wednesday, October 17, 2018, 11:16 [IST]